વીર સાવરકરને લઈને ફરી એકવાર દેશનું રાજકારણ ગરમાયું છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે, રાહુલ ગાંધી માત્ર વોટબેંક માટે આવી પોલિટીક્સ કરી રહ્યા છે. આ વખતે વિવાદનો મૂળ ઉઠ્યો છે મધ્યપ્રદેશના ભોપાલથી. જ્યાં યોજાયેલા કોંગ્રેસના સેવાદળના કાર્યક્રમમાં વીર સાવરકર કેટલા વીર?’ નામથી એક પુસ્તક વહેંચવામાં આવ્યું. જેમા વીર સાવરકર અને નથુરામ ગોડસે વચ્ચેના સંબંધ હોવાનું લખાણ લખવામાં આવ્યું છે. વીર સાવરકર પર થયેલી આવી અભદ્ર ટિપ્પણીને લઈને ભાજપ આક્રમક બન્યું છે. ભાજપે આ સમગ્ર મુદ્દે શિવસેનાને નિશાને લીધી છે. તો વીર સાવરકરના પ્રપૌત્રએ પણ શિવસેના પાસે કાર્યવાહીની માગ કરી છે.
વીર સાવરકર પર મચેલા રાજકીય ઘમસાણ વચ્ચે શિવસેના સામે સવાલ ઉભા થઈ રહ્યા છે. ત્યારે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ સાથે સરકાર બનાવનાર શિવસેના પણ હવે આકરાપાણીએ છે. સંજય રાઉતે તો આ પુસ્તકને કેટલાક લોકોના મગજની ગંદકી કહીને વીર સાવરકરને મહાન ગણાવ્યા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો