અમદાવાદના હાથીજણ પાસે આવેલા સ્વામી નિત્યાનંદના આશ્રમમાં યુવતીને ગોંધી રાખવાના પ્રકરણમાં પોલીસે આશ્રમને ક્લિન ચીટ આપી દીધી છે. પોલીસનું કહેવું છે કે યુવતી આશ્રમમાં ખુશ છે અને બેંગાલુરૂમાં રહેતા પોતાના માતા-પિતા સાથે જવાની ના પાડી રહી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
જ્યારે પરિવારની મોટી દીકરી હાલ વિદેશ પ્રવાસે હોવાથી તેમની મુલાકાત થઈ શકી નથી. જેથી આશ્રમ સામે સવાલ ઉઠાવવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. પોલીસે માહિતી આપી હતી કે બે સગીર બાળકોને આશ્રમમાં ગમતું ન હોવાથી 2 નવેમ્બરના રોજ પરિવારને સોંપવામાં આવ્યા હતા.
મહત્વનું છે કે આ પહેલા યુવતીના પિતાએ આક્ષેપો કર્યા હતા કે તેમની મોટી પુત્રી 1.5 વર્ષથી ગાયબ છે. જ્યારે બીજા નંબરની દીકરીને બેંગાલુરૂથી તેમની જાણ બહાર અમદાવાદના આશ્રમમાં લવાઈ હતી અને ત્યાં તેને ગોંધી રાખી હતી અને તેની સાથે શારીરિક અડપલાં કરવામાં આવ્યા હતા.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો