Ahmedabad: ફરી શાળાઓમાં કોરોનાની એન્ટ્રી, સેન્ટ ઝેવિયર્સ લોયેલા સ્કૂલમાં કોરોનાનો કેસ નોંધાયો

|

Apr 13, 2022 | 4:35 PM

અમદાવાદમાં (Ahmedabad) આવેલી સેન્ટ ઝેવિયર્સ લોયેલા સ્કૂલમાં ધોરણ-2માં અભ્યાસ કરતો 6 વર્ષનો વિદ્યાર્થી કોરોના (Corona) સંક્રમિત થયો છે. જેથી વર્ગખંડને સેનિટાઈઝ કરવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. વર્ગમાં ભણતા અન્ય વિદ્યાર્થીઓને પણ ટેસ્ટ કરાવી લેવા સૂચના અપાઈ છે.

Ahmedabad: ફરી શાળાઓમાં કોરોનાની એન્ટ્રી, સેન્ટ ઝેવિયર્સ લોયેલા સ્કૂલમાં કોરોનાનો કેસ નોંધાયો
Class -2 student of St. Xavier's Loyola School tested COVID-19 positive, Ahmedabad

Follow us on

ગુજરાતમાં (Gujarat) કોરોનાના (Corona) કેસના ઘટાડા વચ્ચે ફરી એકવાર કોરોનાના કેસના ઉછાળો જોવા મળ્યો છે. ગુજરાતમાં શાળા-કોલેજોમાં હવે કોરોનાની એન્ટ્રી થવા લાગી છે. ગાંધીનગરની નેશનલ લૉ યુનિવર્સિટીમાં કોરોનાના કુલ 64 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ હવે અમદાવાદ શહેરની શાળાઓમાં ફરી કોરોનાની એન્ટ્રી થઈ ચુકી છે. સેન્ટ ઝેવિયર્સ લોયેલા સ્કૂલમાં (St. Xavier’s Loyola School) કોરોના પોઝિટીવનો કેસ નોંધાતા વાલીઓમાં ફફડાટ ફેલાયો છે.

અમદાવાદમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ લોયેલા સ્કૂલમાં ધોરણ-2માં અભ્યાસ કરતો 6 વર્ષનો વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયો છે. જેથી વર્ગખંડને સેનિટાઈઝ કરવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. વર્ગમાં ભણતા અન્ય વિદ્યાર્થીઓને પણ ટેસ્ટ કરાવી લેવા સૂચના અપાઈ છે. છેલ્લા 10 દિવસથી વિદ્યાર્થી સ્કૂલે આવતો ન હતો. તેમ છતા તકેદારી રુપ પગલા હાથ ધરવામાં આવ્યા છે. ગુજરાતમાં કોરોનાના કેસ ભલે ઓછા હોય તેમ છતાં આરોગ્ય વિભાગે તમામ લોકોને માસ્ક અને સેનીટાઇઝ સહીતની તકેદારીઓ રાખવા સલાહ આપી છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

ગુજરાતમાં આ પહેલા ગાંધીનગરની નેશનલ લૉ યુનિવર્સિટીમાં સતત ચાર-પાંચ દિવસથી કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા વિદ્યાર્થીઓનું ટેસ્ટિંગ કરાઈ રહ્યું છે. અત્યાર સુધીમાં 700થી વધુ લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓની સાથે-સાથે સ્ટાફનું પણ સ્ક્રિનિંગ હાથ ધરાયું છે. જેમાં યુનિવર્સિટીમાં કુલ 64 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં બે પ્રોફેસરનો પણ સમાવેશ થાય છે.

તો ગઇકાલે એટલે કે જેમાં 12 એપ્રિલના રોજ ગુજરાતમાં કોરોનાના નવા 24 કેસ નોંધાયા હતા. જ્યારે 16 દર્દીઓ સાજા થયા છે. જેમાં રાજયમાં સૌથી વધારે 08 કેસ ગાંધીનગરમાં(Gandhinagar) નોંધાયા છે.રાજયમાં અત્યાર સુધી કુલ 12,13,012 દર્દીઓ સાજા થયા છે. જ્યારે રાજયમાં કોરોનાના રિકવરી દર 99. 09 ટકા થયો છે. ગુજરાતના કોરોનાના એક્ટિવ કેસ 152 છે. જેમાં એક પણ દર્દી વેન્ટિલેટર પર નથી. તેમજ રાજયમાં અત્યાર સુધી કોરોનાને લીધે 10942 એ જીવ ગુમાવ્યો છે. નોંધનીય છેકે છેલ્લા એક કેટલાક દિવસોથી કોરોનાને કારણે એક પણ મોત નોંધાયું નથી.

આ પણ વાંચોઃ હાર્દિક પટેલે કહ્યું, ચૂંટણી તો લડીશ જ, પણ ચૂંટણીને સાત મહિનાની વાર છે, ક્યાંથી લડીશ તે નક્કી નથી

આ પણ વાંચોઃ Surat: વિદ્યાર્થીઓને ગીતાના પાઠ ભણાવવાની સરકારની વાતો વચ્ચે, ઝાંખરડાની શાળામાં તો 12 વર્ષથી વિદ્યાર્થીઓને મળે છે ગીતા અને કુરાન બંનેનું જ્ઞાન

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article