સુરતમાં નકલી નોટોનો કેસઃ સ્વામી રાધારમણ સહિત ચાર આરોપીઓના કોર્ટે 4 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

|

Nov 25, 2019 | 12:12 PM

સુરતમાં નકલી નોટો મળી આવવાના કેસમાં સ્વામી રાધારમણ સહિત ચાર આરોપીઓના કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સ્વામી સહિત ચારેય આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે કોર્ટમાં રજૂ કર્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે તપાસ માટે 11 મુદ્દા રજૂ કરીને 10 દિવસના રિમાન્ડની માગ કરી હતી. પરંતુ કોર્ટે 28 નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. કોર્ટમાં તપાસના જે મુદ્દા […]

સુરતમાં નકલી નોટોનો કેસઃ સ્વામી રાધારમણ સહિત ચાર આરોપીઓના કોર્ટે 4 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

Follow us on

સુરતમાં નકલી નોટો મળી આવવાના કેસમાં સ્વામી રાધારમણ સહિત ચાર આરોપીઓના કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સ્વામી સહિત ચારેય આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે કોર્ટમાં રજૂ કર્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે તપાસ માટે 11 મુદ્દા રજૂ કરીને 10 દિવસના રિમાન્ડની માગ કરી હતી. પરંતુ કોર્ટે 28 નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. કોર્ટમાં તપાસના જે મુદ્દા રજૂ કરાયા છે તેમાં, સ્વામીને સાથે રાખીને ખેડાના અંબાવ ગામે સ્થળ તપાસ કરવાની છે.

નોટો ક્યાં ક્યાં અને કેવી રીતે સપ્લાય કરી છે તેની તપાસ, મશીન ક્યાંથી લાવ્યા અને કેવી રીતે નોટો છાપતા હતા તેની તપાસ કરવાની છે. નકલી નોટોના આ કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર રાધારમણ સ્વામી છે. જોકે પ્રદીપ ચોપડા નામનો આરોપી હજુ પણ ફરાર છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં ઉપમુખ્યમંત્રી અજીત પવાર વિરુદ્ધ સિંચાઈ કૌભાંડનો કેસ બંધ કરવામાં આવ્યો!

ગળતેશ્વર પાસે અંબાવ ગામે સુખીની મુવાડીમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં સુરત સિટી ક્રાઈમ બ્રાન્ચે રેડ કરી હતી. આ રેડ બાદ પોલીસે રાધારમણ સ્વામીની નોટો છાપવાના મશીન સાથે ધરપકડ કરી છે. ત્યારે આજે રાધારમણ સ્વામી વડતાલ મંદિરના ચેરમેન દેવ સ્વામીના નજીકના હોવાની ચર્ચા થઈ રહી છે. સાથે જ મંદિરનું ખાતમુહૂર્ત દેવ સ્વામીના હાથે થયું હોવાનો ફોટો પણ વાયરલ થયો છે. આ તસ્વીરોને જોતા ચર્ચા થઇ રહી છે કે, આરોપી રાધારમણ સ્વામી અને વડતાલના ચેરમેન દેવ સ્વામી વચ્ચે કોઇ આત્મિયતા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article