જૂનાગઢ મેંદરડા રોડ પર પુલના થયા ત્રણ ટુકડા. દુર્ઘટના ઘટી ગઈ ત્યારબાદ સવાલ આવે કે વાંક કોનો? જવાબદારો પાસે જ્યારે આ સવાલનો જવાબ માગ્યો, તો હવે આરોપ અને પ્રતિઆરોપનો દૌર શરૂ થયો છે. માર્ગ અને મકાન વિભાગે આક્ષેપ કર્યો છે કે, વન વિભાગની બેદરકારી આ ઘટના માટે જવાબદાર છે. સેક્સન ઓફિસરનો આરોપ છે કે, 2016માં પુલના નવિનીકરણ માટે મંજૂરી માગવામાં આવી હતી, પરંતુ વનવિભાગે મંજૂરી આપી જ નહીં. માર્ગ અને મકાન વિભાગના આરોપને ફગાવી દેતા વન વિભાગે કહ્યું છે કે, પુલના નવિનીકરણ માટે મંજૂરી આપી જ દેવાઈ હતી. વન વિભાગે આ મંજૂરી આપ્યાની નકલ પણ જાહેર કરી છે અને માર્ગ-મકાન વિભાગની આરોપોને રદિયો આપ્યો છે. બંને જવાબદાર વિભાગો એકબીજા પર દોષનો ટોપલો ઢોલી રહ્યા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: ગુજરાતની APMCના જાણો જુદા-જુદા પાકોના ભાવ