Breaking News : વડોદરામાં રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારો થવાનો આક્ષેપ, પોલીસનો મોટો કાફલો સ્થળ પર ખડકી દેવાયો

|

Mar 30, 2023 | 3:06 PM

વડોદરાના (Vadodara) ફતેપુરા ગવડોદરાના ફતેપુરા ગરનાળા પોલીસ ચોકી પાસે થઈ જૂથ અથડામણ થવાની ઘટના સામે આવી છે. રામનવમી નિમિત્તે નીકળેલી શોભાયાત્રામાં પથ્થરમારો થયો હોવાનો આક્ષેપ થયો છે.

Breaking News : વડોદરામાં રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારો થવાનો આક્ષેપ, પોલીસનો મોટો કાફલો સ્થળ પર ખડકી દેવાયો

Follow us on

વડોદરાના ફતેપુરા ગરનાળા પોલીસ ચોકી પાસે થઈ જૂથ અથડામણ થવાની ઘટના સામે આવી છે. રામનવમી નિમિત્તે નીકળેલી શોભાયાત્રામાં પથ્થરમારો થયો હોવાનો આક્ષેપ થયો છે. જે પછી બે જુથ સામ સામે આવી ગયા હતા. જો કે એડિશનર પોલીસ કમિશનરે શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટનાના આક્ષેપોને ફગાવી દીધા છે. સિનિયર પોલીસ અધિકારીઓનો કાફલો અહીં પહોંચી રહ્યો છે.

આ પણ વાંચો-Bhavanagar : વિદેશી નાગરિકો સાથે ઠગાઈ કરતું કોલ સેન્ટર ઝડપાયુ, 3 આરોપીની કરી ધરપકડ

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

પોલીસે પથ્થરમારાના આક્ષેપોને ફગાવ્યા

વિશ્વહિંદુ પરિષદના કારેલીબાગ પ્રખંડ દ્વારા રામનવમી નિમિત્તે યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. રામ નવમી નિમિત્તે રામજીની યાત્રા નીકળી હતી. તે સમયે થયો પથ્થરમારો થયો હોવાના આક્ષેપ VHP અને બજરંગ દળ દ્વારા કરવામાં આવ્યા છે. જો કે એડિશનર પોલીસ કમિશનરે દ્વારા શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટનાના આક્ષેપોને ફગાવી દેવામાં આવ્યા છે. સ્થળ પર શાંતિ જળવાઇ રહે તે માટે સિનિયર પોલીસ અધિકારીઓનો કાફલો અહીં પહોંચી રહ્યો છે.

સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઇ

ફતેપુરા વિસ્તારમાં પથ્થરમારાની ઘટના બાદ ભારે નુકસાન થયુ હોવાનું પણ સામે આવ્યુ છે.  કેટલીક ગાડીઓના કાચ તૂટી ગયા હતા. અચાનક પથ્થરમારો થવાના કારણે નાસભાગનો માહોલ સર્જાયો હતો. જો કે પોલીસે સ્થળ પર પહોંચીને સમગ્ર મામલો થાળે પાડ્યો છે.

પોલીસ કાફલો સ્થળ પર ખડકી દેવાયો

ઘટનાની જાણ થતા જ  પોલીસનો મોટો કાફલો સ્થળ પર પહોચ્યો છે. બંને જૂથ વચ્ચે ભારે અથડામણ થતા પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. ઘટના બાદ પોલીસે આ વિસ્તારના CCTVનું સર્વેલન્સ શરુ કર્યુ છે. પોલીસે આ જૂથ અથડામણ કેમ થઇ તે અંગે તપાસ શરુ કરી છે. પોલીસ આ વિસ્તારમાં શાંતિ ના ડહોળાય તેનું ધ્યાન રાખી રહી છે. અલગ અલગ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનો કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

 

Published On - 2:14 pm, Thu, 30 March 23

Next Article