Breaking News: ઢોસાના ખીરાથી થયેલ શંકાસ્પદ મોત મામલે મોટો ઘટસ્ફોટ, પરિવારે સામુહિક આપઘાત કર્યો હોવાનું અનુમાન: સૂત્ર
ચાંદખેડામાં બે બાળકીના મોત મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઘરકંકાસ અથવા બેરોજગારીને કારણે સામૂહિક આપઘાત કર્યો હોવાનું અનુમાન છે.

ચાંદખેડા વિસ્તારમાં બે બાળકીના મોતના મામલે ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. પ્રાથમિક તપાસમાં આ ઘટના પાછળ ઘરકંકાસ અથવા બેરોજગારીને કારણે સામૂહિક આપઘાત થયાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, જ્યારે કેટલાક સૂત્રો મુજબ પિતા વિમલ પ્રજાપતિ દ્વારા હત્યાનું કાવતરું ઘડાયું હોવાની પણ શંકા વ્યક્ત થઈ રહી છે.
પરિવારે સામુહિક આપઘાત કર્યા હોવાનું અનુમાન: સૂત્ર
પોલીસ દ્વારા વિવિધ એન્ગલથી તપાસ શરૂ કરવામાં આવી છે, જેમાં આર્થિક સંકળામણ અને બેરોજગારી મુદ્દે પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. સાથે જ સામૂહિક આપઘાતની દિશામાં પણ તપાસ આગળ વધી રહી છે. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU)માંથી FSL રિપોર્ટની રાહ જોવાઈ રહી છે, જે કેસના સત્ય સુધી પહોંચવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
ઘઉંમાં નાખવાની ગોળી ખાધી !
સૂત્રોના જણાવ્યા મુજબ, વિમલ પ્રજાપતિ અને તેના પિતા ગૌરીશંકર વચ્ચે અનેક વખત બોલાચાલી થતી હતી. ઉપરાંત, પોલીસને શંકા છે કે ઘઉંમાં નાખવાની ગોળીનો ઉપયોગ કરવામાં આવ્યો હોઈ શકે છે. પતિ-પત્ની વિમલ અને ભાવના વારંવાર પોતાના નિવેદનો બદલી રહ્યા હોવાથી કેસ વધુ જ ગૂંચવણભર્યો બન્યો છે. લોહીના રિપોર્ટમાં એલ્યુમિનિયમ ફૉસ્ફેટનું પ્રમાણ મળતા ઝેર આપવાના એન્ગલને પણ તપાસવામાં આવી રહ્યો છે.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
