Breaking News : ટેકઓફ બાદ તરત જ બંન્ને એન્જિન કેમ બંધ થયા ? એર ઈન્ડિયા પ્લેન ક્રેશની ઘટનામાં થયો ચોંકાવનારો ખુલાસો

અમદાવાદમાં 12 જૂનના રોજ થયેલા એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાનો પ્રારંભિક તપાસ અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના રિપોર્ટમાં ઘણી ચોંકાવનારી માહિતી સામે આવી છે.

Breaking News : ટેકઓફ બાદ તરત જ બંન્ને એન્જિન કેમ બંધ થયા ? એર ઈન્ડિયા પ્લેન ક્રેશની ઘટનામાં થયો ચોંકાવનારો ખુલાસો
Ahmedabad
| Updated on: Jul 12, 2025 | 8:26 AM

અમદાવાદમાં 12 જૂનના રોજ થયેલા એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાનો પ્રારંભિક તપાસ અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના રિપોર્ટમાં ઘણી ચોંકાવનારી માહિતી સામે આવી છે. રિપોર્ટ અનુસાર, ટેકઓફ થયાની થોડીક સેકન્ડ પછી, વિમાનના બંને એન્જિન આપમેળે બંધ થઈ ગયા, જેના પછી વિમાન ક્રેશ થવાની આરે હતું.

AAIB એ વિમાનના એન્જિનને બળતણ પુરવઠો બંધ કરવા જેવા અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ તરફ ધ્યાન દોર્યું છે. જોકે, ઈન્વેસ્ટિગેશન બ્યુરોએ કહ્યું છે કે આ રિપોર્ટ પ્રારંભિક છે. હાલમાં, અકસ્માતની વિગતવાર તપાસ ચાલી રહી છે.

એન્જિનમાં ફ્યુલ ખતમ થતા બંધ થઈ ગયું !

AAIB ના અહેવાલ મુજબ, એર ઇન્ડિયાના વિમાને સવારે 8.08 વાગ્યે 180 નોટ્સની ઈડિકેટેડ એયરસ્પીડ મેળવી છે. આ પછી, અચાનક બંને એન્જિનના ફ્યુઅલ કટ-ઓફ સ્વીચો, જે એન્જિનને ઇંધણ મોકલે છે, ‘રન’ થી કટઓફ પોઝિશન પર ખસી ગયા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ઘટના ફક્ત 1 સેકન્ડના અંતરે બની હતી. આ સમય દરમિયાન એન્જિનમાં બળતણ વહેતું બંધ થઈ ગયું. જોકે, અંતિમ નિષ્કર્ષ હજુ આવવાનો બાકી છે.

પાઇલટ્સ વચ્ચેની વાતચીતથી બધાને આશ્ચર્ય થયું

AAIB તપાસ રિપોર્ટમાં કોકપીટમાં પાઇલટ્સ વચ્ચે થયેલી વાતચીતની માહિતી પણ બહાર આવી છે. કોકપીટ વોઇસ રેકોર્ડર (CVR) મુજબ, એક પાઇલટે બીજાને પૂછ્યું, “તમે એન્જિન કેમ બંધ કર્યું?” આ પ્રશ્નના જવાબમાં, બીજા પાઇલટે કહ્યું કે મેં કંઈ કર્યું નથી. બંને પાઇલટ્સ વચ્ચેની વાતચીતથી સ્પષ્ટ થયું કે ઇંધણ કાપ કોઈએ જાણી જોઈને કર્યો નથી.

રેમ એર ટર્બાઇન (RAT) સક્રિય

તમને જણાવી દઈએ કે વિમાનના ઓટોમેટિક સિસ્ટમે કટોકટીની સ્થિતિ જોયા પછી આપમેળે મદદ કરવાનો પ્રયાસ કર્યો. જોકે, રામ એર ટર્બાઇન (RAT) એટલે કે ઇમરજન્સી ફેન અને APU જેવી સિસ્ટમ સક્રિય કર્યા પછી પણ, વિમાનને ક્રેશ થવાથી બચાવી શકાયું નહીં. માહિતી અનુસાર, RAT ત્યારે જ બહાર આવે છે જ્યારે વિમાનમાં પાવર સપ્લાયમાં સમસ્યા હોય છે. આનો અર્થ એ થયો કે એન્જિન બંધ થવાને કારણે વિમાનના મુખ્ય વીજ પુરવઠા પર પણ અસર પડી હતી.

બંને એન્જિન અથવા પાવર સપ્લાય નિષ્ફળ જવાના કિસ્સામાં અથવા હાઇડ્રોલિક નિષ્ફળતાના કિસ્સામાં RAT આપમેળે સક્રિય થાય છે. આ વિમાનને ઊંચાઈ જાળવી રાખવામાં મદદ કરે છે. તે વીજળી ઉત્પન્ન કરવા માટે હવાની ગતિનો ઉપયોગ કરે છે.

વિમાન દુર્ઘટનામાં 260 લોકોના મોત થયા હતા

12 જૂનના રોજ, એર ઇન્ડિયાનું બોઇંગ 787-8 વિમાન (ફ્લાઇટ એઆઈ 171) અમદાવાદથી લંડન ગેટવિક માટે ઉડાન ભર્યાના થોડા સમય પછી મેડિકલ કોલેજના હોસ્ટેલ પરિસરમાં ક્રેશ થયું હતું, જેમાં 260 લોકો માર્યા ગયા હતા, જેમાં 241 લોકો સવાર હતા. જોકે, આ અકસ્માતમાં એક મુસાફરનો બચાવ થયો હતો. વિમાનમાં 242 લોકો સવાર હતા જેમાં 12 ક્રૂ મેમ્બર હતા. મુસાફરોમાં 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ નાગરિકો, એક કેનેડિયન નાગરિક અને 7 પોર્ટુગીઝ નાગરિકોનો સમાવેશ થતો હતો.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:37 am, Sat, 12 July 25