Breaking News : અમદાવાદની 16 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, કાર અને શાળાની બસોમાં બોમ્બ વિસ્ફોટનો ધમકીમાં ઉલ્લેખ

Ahmedabadમાં શાળાઓને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયું છે. ખાલિસ્તાનના નામે મોકલવામાં આવેલા ધમકીભર્યા ઈ-મેઈલમાં જણાવાયું છે કે ગુજરાત ખાલિસ્તાનમાં ફેરવાશે અને બપોરે 1 વાગે 11 મિનિટે શાળાઓમાં બોમ્બ વિસ્ફોટ કરવામાં આવશે. ધમકીમાં કાર અને શાળાની બસોમાં પણ વિસ્ફોટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Breaking News : અમદાવાદની 16 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, કાર અને શાળાની બસોમાં બોમ્બ વિસ્ફોટનો ધમકીમાં ઉલ્લેખ
| Updated on: Feb 16, 2026 | 11:58 AM

અમદાવાદમાં શાળાઓને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો છે. ખાલિસ્તાનના નામે મોકલવામાં આવેલા ધમકીભર્યા ઈ-મેઈલમાં જણાવાયું છે કે ગુજરાત ખાલિસ્તાનમાં ફેરવાશે અને બપોરે 1 વાગે 11 મિનિટે શાળાઓમાં બોમ્બ વિસ્ફોટ કરવામાં આવશે. ધમકીમાં કાર અને શાળાની બસોમાં પણ વિસ્ફોટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

વિશેષ રીતે, વડા પ્રધાન Narendra Modi અને ગૃહમંત્રી Amit Shah પર પણ નિશાન હોવાનું ધમકીમાં દાવો કરવામાં આવ્યો છે. ધમકી પંજાબી ભાષામાં મોકલવામાં આવી હતી, જેના કારણે શાળાઓના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓમાં તણાવ પ્રસરી ગયો.

બાળકોને આપી દેવામાં આવી રજા

સેટેલાઈટમાં આવેલી એ વન સ્કૂલ અને મકરબાની DAV સ્કૂલને ધમકી મળી છે, જ્યારે ડ્રાઇવ ઇન રોડ પર આવેલી એશિયા સ્કૂલને પણ ધમકી મળ્યા છે. પોલીસ અને બોમ્બ સ્ક્વાડને ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને તાત્કાલિક કામગીરી શરૂ કરી છે. શાળાઓની સુરક્ષા વધારવામાં આવી છે અને વિદ્યાર્થીઓને સલામત રહેવા સૂચનાઓ આપવામાં આવી છે. તેમજ શાળાઓમાંથી બાળકોને રજા આપી દેવામાં આવી છે અને વાલીઓને પોતાના બાળકોને લઇ જવા કહી દેવામાં આવ્યુ છે.

અમદાવાદની 16 શાળાને મળી ધમકી

અમદાવાદની 16 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, આ શાળાઓ નીચે મુજબ છે

  • નવરંગપુરાની સંત કબીર સ્કૂલ
  • બાપુનગર વિસ્તારની સિલ્વર બેલ સ્કૂલ
  • કૃષ્ણનગરની અંકુર સ્કુલ
  • પાલડીની દીવાન બ્લલુભાઈ
  • એસજીવીપી ગુરુકુળ
  • નિરમા યુનિવર્સિટી
  • એજી હાઈસ્કૂલ
  • જે જે ઇન્ટરનેશનલ
  • વિદ્યાનગર સ્કૂલ
  • સીએન વિદ્યાલય
  • ખાલસા લિટલ સ્કૂલ
  • જીવીબા સ્કુલ-ઘોડાસર
  • બોપલ વિસ્તારની તુલિપ ઇન્ટરનેશનલ
  • DAV સ્કૂલ, મકરબા
  • એ વન સ્કૂલ
  • એશિયા સ્કૂલ
મહત્વનું છે કે અમદાવાદમાં અગાઉ પણ અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળેલી છે. જો કે હજુ સુધી કોઇપણ શાળામાં તપાસ દરમિયાન કોઇ વસ્તુ મળી આવી નથી. જો કે હવે આ ધમકી ભર્યા મેઇલ કોણે કર્યા તે અંગે તપાસ શરુ કરવામાં આવી છે. સાયબર ક્રાઈમની ટીમે પણ ઈમેઈલની તપાસ શરૂ કરી છે.
આ તરફ સ્કૂલોને મળેલી ધમકી અંગે શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાનું નિવેદન સામે આવ્યુ છે. તેમણે જણાવ્યુ કે ધમકીઓ અંગે પૂરતી તપાસ કરવામાં આવશે. ધમકી આપનાર તત્વો સામે કડક હાથે કામ લેવાશે.

જૂનાગઢમાં યોજાયેલા મિની મહાકુંભમાં સાધુનો વેશ ધારણ કરી પ્રવેશ… કીર્તિ પટેલ શું સાબિત કરવા માગે છે ? આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Published On - 10:03 am, Mon, 16 February 26