Breaking News : અમદાવાદમાં વાતાવરણમાં પલટાને લઈને ફ્લાઈટો ડાઈવર્ટ કરાઈ

અમદાવાદ એરપોર્ટ પર ઉતરતી ફ્લાઈટ ડાયવર્ટ કરાઈ છે.નજીકના એરપોર્ટ પર ફ્લાઈટ લેન્ડિંગ કરાશે.મોટાભાગની ફ્લાઈટ અમદાવાદની જગ્યાએ સુરત લેન્ડિંગ કરવામાં આવી છે.

Breaking News : અમદાવાદમાં વાતાવરણમાં પલટાને લઈને ફ્લાઈટો ડાઈવર્ટ કરાઈ
| Updated on: Jun 02, 2026 | 8:01 AM

મોડી રાત્રે વાવાઝોડા સાથે વરસાદની ધમાકેદાર બેટિંગ કરી હતી. અમદાવાદમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યો છે.અસહ્ય ગરમી અને બફારાથી વરસાદે રાહત આપી છે.વરસાદને પગલે વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઈ છે, જેથી દિવસભરની અસહ્ય ઉનાળાની ગરમીથી પરેશાન લોકોને મોટી રાહત મળી છે.અમદાવાદ એરપોર્ટ પરથી પણ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે.

ફ્લાઈટ ડાયવર્ટ કરાઈ

અમદાવાદ એરપોર્ટ પર ઉતરતી ફ્લાઈટ ડાયવર્ટ કરાઈ છે.નજીકના એરપોર્ટ પર ફ્લાઈટ લેન્ડિંગ કરાશે.મોટાભાગની ફ્લાઈટ અમદાવાદની જગ્યાએ સુરત લેન્ડિંગ કરવામાં આવી છે.અમદાવાદ એરપોર્ટ પર ઉતરતી મોટાભાગની ફ્લાઈટો હજુ વાતવરણ રાહને લઈને હવામાં છે.અમદાવાદ શહેરમાં 3 કલાકમાં સરેરાશ 1 ઈંચ વરસાદ વરસ્યો છે. ટાગોર હોલ વિસ્તારમાં સૌથી વધુ 1 ઈંચ વરસાદ વરસ્યો છે.રામોલ અને વાસણામાં અડધો ઈંચ વરસાદ, મોટા ભાગના વિસ્તારોમાં અડધા ઈંચથી ઓછો વરસાદ વરસ્યો છે.

ભારે પવન સાથે ધમધોકાર વરસાદની આગાહી

આજે રાજ્યના મોટાભાગના જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્યંત ભારે પવન સાથે ધમધોકાર વરસાદ વરસી શકે છે. દ્વારકા, જામનગર, પોરબંદર સિવાયના જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે.

 

 

 

ગુજરાત રાજ્યનું નામ ગુજ્જર પરથી પડેલ છે. જેમણે ઇ.સ. 700 અને ઇ.સ. 800 દરમિયાન અહીં રાજ કર્યું હતું, વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Published On - 7:20 am, Tue, 2 June 26

Follow Us