બનાસકાંઠામાં નર્મદા નિગમના અધિકારીઓની વધુ એક બેદરકારી સામે આવી છે. વાવના કુંડાળીયાની તૂટેલી કેનાલમાં પાણી અવિરત ચાલુ છે. ગઈકાલે કેનાલમાં 25 ફૂટનું પડ્યું હતું ગાબડુ અને તેની જાણ કરાયા બાદ પણ પાણીનો પ્રવાહ બંધ ન કરાયો. કેનાલમાંથી લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે અને ખેતરમાં ઉભા પાકમાં કેનાલનું પાણી ફરી વળ્યું. ખેતરમાં પાણી ફરી વળતા ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો