રાજસ્થાન પોલીસે બોલિવૂડ અભિનેત્રી પાયલ રોહતગીની અમદાવાદમાંથી ધરપકડ કરી છે. પાયલ રોહતગીની નેહરુ પરિવાર અંગે સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરવા મામલે ધરપકડ કરવામાં આવી છે. આ અંગે પાયલ રોહતગીની ટીમે ટ્વીટ કરીને જાણકારી આપી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રાજસ્થાનના બુંદીના પોલીસ અધિકારી લોકેન્દ્ર પાલીવાલના નેતૃત્વમાં એક ટીમ શુક્રવારે અમદાવાદ પહોંચી હતી. પોલીસે ત્રણ દિવસ સુધી શહેરમાં ધામા નાખ્યા હતા. ત્યારબાદ પોલીસે ત્રણ દિવસે પાયલ રોહતગીની ધરપકડ કરી હતી. આ મામલે પાયલે બુંદીની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો