અરવલ્લીના ખંભીસરમાં વરઘોડા કાઢવાના વિવાદને લઈને રાજનીતિ ગરમાઈ છે. કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધીને રાજ્યપાલ ઓ.પી. કોહલીને આવેદનપત્ર આપ્યું. વિપક્ષના નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં ગાંધીનગરમાં રાજ્યપાલને આવેદન આપી આ મામલાની તટસ્થ તપાસ કરાવવા માગ કરી છે. જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી.
તો ભાજપના પ્રતિનિધિઓને બોલાવી તેમની ઝાટકણી કાઢવા પણ અનુરોધ કર્યો છે. આ મોકા પર પરેશ ધાનાણી રાજ્ય સરકાર પર પ્રહારો કર્યા. અને કહ્યું કે, ભાજપ આવા તત્વોને પ્રોત્સાહિત કરી રહી છે. પરંતુ જો ફરી આવી ઘટનાઓ બનશે તો કોંગ્રેસ જ હાજર રહીને સમાજને સુરક્ષા પુરી પાડશે.