બિનસચિવાલયની પરીક્ષાના વિરોધમાં આંદોલન કરતા પરીક્ષાર્થીઓના જૂથમાં પડ્યા બે ફાંટા

ગાંધીનગરમાં બિનસચિવાલય પરીક્ષા રદ કરવાના મામલે વિરોધ ચાલી રહ્યો છે. ત્યારે આ જૂથમાં બે ફાંટા પડી ગયા છે. ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદનું આયોજન કરીને SITની રચના અંગે માહિતી આપી હતી. અને આગળની તપાસ SIT કરશે. આ સમયે પ્રદિપસિંહ સાથે પરીક્ષાર્થીઓના કેટલાક નેતા હતા. જેમાં યુવરાજસિંહ જાડેજા, હાર્દિક પ્રજાપતિ સહિતના વિદ્યાર્થી નેતાઓ હતા. પરંતુ […]

બિનસચિવાલયની પરીક્ષાના વિરોધમાં આંદોલન કરતા પરીક્ષાર્થીઓના જૂથમાં પડ્યા બે ફાંટા
| Updated on: Dec 05, 2019 | 1:53 PM

ગાંધીનગરમાં બિનસચિવાલય પરીક્ષા રદ કરવાના મામલે વિરોધ ચાલી રહ્યો છે. ત્યારે આ જૂથમાં બે ફાંટા પડી ગયા છે. ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદનું આયોજન કરીને SITની રચના અંગે માહિતી આપી હતી. અને આગળની તપાસ SIT કરશે. આ સમયે પ્રદિપસિંહ સાથે પરીક્ષાર્થીઓના કેટલાક નેતા હતા. જેમાં યુવરાજસિંહ જાડેજા, હાર્દિક પ્રજાપતિ સહિતના વિદ્યાર્થી નેતાઓ હતા. પરંતુ બીજી તરફ રસ્તા પર ઉતરેલા કેટલાક પરીક્ષાર્થીઓની માગણી હજુ પણ પરીક્ષા રદ કરવાની છે.

આ પણ વાંચોઃ લૂંટારાઓ સોસાયટીમાં ઘૂસીને સરેઆમ ચલાવી રહ્યાં છે લૂંટ, રૂ.5.36 લાખના દાગીના ભરેલી બેગની ચીલઝડપ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ વિદ્યાર્થીઓની માગણી છે કે, SITની રચના અમારી માગણી નહોતી. તેમની માગણી પરીક્ષા રદ કરવાની છે. આ મામલે જ પરીક્ષાર્થીઓ વચ્ચે બે જૂથ પડી ગયા છે. પરીક્ષાર્થીઓએ કહ્યું કે, અમે કોઈ વિદ્યાર્થી નેતાઓને અમારો હક નથી આપ્યો. અમારા તરફથી SITની માગણી કરવામાં આવી નહોતી. આ માત્ર લોલિપોપ છે. અમારુ આંદોલન ચાલુ રહેશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો