
ભાવનગરમાંથી સામે આવેલા સમગ્ર ગુજરાતને હચમચાવી દેનારા લઠ્ઠાકાંડે અત્યાર સુધીમાં 11 લોકોનો ભોગ લીધો છે અને હજુ પણ 5થી 6 લોકોની સ્થિતિ ગંભીર જણાવવામાં આવી રહી છે. 18 ઓગસ્ટની રાત્રે ઘોઘા તાલુકાના ખરકડી ગામમાં કેટલાક મિત્રોએ દારુ પાર્ટી કરી હતી. જેમા રોયલ સ્ટેગના નામે નક્લી દારૂનું સેવન કર્યુ હતુ. જે બાદ પાર્ટી કરનારા યુવકોની તબિયત લથડવા લાગી હતી. શરૂઆતમાં આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયુ હતુ. પરંતુ એક બાદ એક મિત્રોની તબિયત લથડવા લાગી અને આજે આ લઠ્ઠાકાંડ 11 લોકોને ભરખી ગયો છે.
ભાવનગરના ઘોઘા તાલુકાના ખરકડી ગામમાં 18 ઓગસ્ટની રાત્રે કેટલાક મિત્રોએ દારુ પાર્ટી કરી હતી. જેમા રોયલ સ્ટેગના નામે નક્લી દારુનું સેવન કર્યુ હતુ. જે બાદ પાર્ટી કરનારા યુવકોની તબિયત લથડવા લાગી હતી. શરૂઆતમાં આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયુ હતુ. ત્યારે પોલીસના ધ્યાને આ વાત આવી હતી પરંતુ કોંગ્રેસનો આરોપ છે કે પોલીસે તેમા જોઈએ તેવી ગંભીરતા ન બતાવી. જે બાદ અન્ય લોકોના મોત થવાની ખબરો સામે આવી જેમા ઉપેન્દ્રસિંહ ગોહિલ, કનકસિંહ ગોહિલ, કાર્તિક મકવાણા, ધન્યશ્યામસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોક્ટર’ અને હિતેશ પરમાર સહિતના નામ સામે આવ્યા છે. જ્યારે પાર્ટી આપનાર વિજયરાજસિંહ ગોહિલ હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. વિજયરાજ સિંહે ગોહિલ પોલીસ ભરતીમાં સિલેક્ટ થતા મિત્રોને પાર્ટી આપી હતી. જેમા સૌપ્રથમ નક્લી દારુ પીવાથી ઉપેન્દ્રસિંહનું મૃત્યુ થયુ હતુ. જે બાદ પોલીસ હરકતમાં આવી અને તપાસ શરૂ કરી હતી.
આ લઠ્ઠાકાંડને કારણે સુરતમાં પણ એક વ્યક્તિનું મોત થયુ છે જ્યારે ભાવનગરમાં પણ એક અવિનાશ પરમાર નામના 55 વર્ષિય વ્યક્તિનું મોત થયુ છે. આ સાથે આ આંકડો 11 પર પહોંચી ગયો છે. હાલ ભાવનગરની સર ટી હોસ્પિટલમાં આ નક્લી ઝેરી દારુ પીનારા લોકોની સારવાર ચાલી રહી છે. ત્યારે થોડા સમય પહેલા જ એવી ઘટના મળી કે શિવ આલગોતર નામનો વ્યક્તિ હોસ્પિટલમાંથી ભાગવાની તૈયારી કરતો જોવા મળ્યો હતો. tv9 દ્વારા તેની સાથે વાતચીત કરતા જાણવા મળ્યુ કે આ વ્યક્તિએ સોનગઢથી દારુ લઈ રોયલ સ્ટેગ અને ગ્રીન લેબલ બંને પીધા હતા. દારુ પીધા બાદ તેને ધૂંધળુ દેખાવાનું અને ઉલટીઓ શરૂ થઈ ગઈ હતી. 4 કલાકની સારવાર લીધા બાદ તેનો આક્ષેપ છે કે અહીં બરાબર સારવાર નથી મળી રહી અને તે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા માગે છે.
શિવ અલગાતોર ની સથે અન્ય 5 લોકોએ પણ દારુનું સેવન કર્યુ હતુ અને તેઓ પાલિતાણા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ત્યારે હજુ કેટલા લોકોએ ઝેરી દારુનું સેવન કર્યુ. કોને કોને આ ઝેરી દારુ વેચવામાં આવ્યો છે. તે તપાસ અત્યંત જરૂરી છે. બીજી તરફ જે લોકોએ દારુ ખરીદ્યો હોય અથવા તો સેવન કર્યુ હોય તેમણે પણ સામે આવી સારવાર માટે જવુ જરૂરી છે નહીં તો આ પ્રકારે હજુ કેટલાય લોકોનો ભોગ લેવાશે તે નક્કી નથી. બીજી તરફ હાલ પોલીસ માટે સૌથી મોટો પડકાર એ છે કે આ દારૂને ક્યાં ક્યાં પહોંચાડવામાં આવ્યો છે. કોને કોને વેચવામાં આવ્યો અને જેમને વેચ્યો એમણે અન્ય કોને પહોંચાડ્યો છે તે અત્યંત જટિલ પ્રક્રિયા છે.
Input Credit- Ajit Gadhvi- Bhavnagar