ભરૂચ : દક્ષિણ ગુજરાતમાં સુરત સુધી મહેર કર્યા બાદ મેઘરાજાએ રીસામણા લીધા હતા. ભરૂચમાં મૌસમની શરૂઆતમાં મેઘરાજા ક્યારે હાજરી પૂરાવશે તે પ્રશ્ન તમામને મૂંઝવી રહ્યો હતો.
આખરે આજે તમામની આતુરતાનો અંત આવ્યો છે. ભરૂચ – અંકલેશ્વર શહેર સહીત આસપાસના વિસ્તારમાં આજે મંગળવારે 18 જૂન 2024 ના રોજ મેઘ મહેર થઇ છે. વહેલી સવારથી આક્ષમાં વાદળોનું સામ્રાજ્ય નજરે પડી રહ્યું છે.
સવારથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદના આગમન સાથે ગરમીમાં પણ રાહત મળી છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત વાતાવરણમાં બફારાનો અહેસાસ થઇ રહ્યો હતો.
સ્થાનિકો ઉપરાંત ખેડૂતોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. હજુ વાવણીલાયક વરસાદ વરસ્યો નથી થતા શહેરમાં મેઘ મહેરથી ધરતીપુત્રો આનંદિત છે.