BHARUCH : 31 જાન્યુઆરીએ બે બસ સળગાવી દેવાના મામલામાં AIMIM જિલ્લા પ્રમુખ સહીત 8 ની ધરપકડ

|

Feb 15, 2022 | 9:11 AM

31 જાન્યુઆરી 2022 ની રાતે અકસ્માતની એક ઘટના બાદ ઉશ્કેરાયેલા ટોળાએ તોડફોદ કરી બે લકઝરી બસ આગના હવાલે કરી દીધી હતી.

BHARUCH : 31 જાન્યુઆરીએ બે બસ સળગાવી દેવાના મામલામાં AIMIM જિલ્લા પ્રમુખ સહીત 8 ની ધરપકડ
31 જાન્યુઆરીએ ટોળાએ બે બસ સળગાવી દીધી હતી

Follow us on

31 જાન્યુઆરી 2022 ની રાતે અકસ્માતની એક ઘટના બાદ ઉશ્કેરાયેલા ટોળાએ તોડફોડ કરી બે લકઝરી બસ આગના હવાલે કરી દીધી હતી. ઘટના બાદ ભરૂચ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ટોળાને વિખેર્યું હતું. ફાયર બ્રિગેડે આગ ઉપર કાબુ મેળવ્યો ત્યારસુધીમાં બંને વાહનો કાટમાળમાં પરિવર્તિત થઇ ગયા હતા. આ ઘટના અકસ્માતમાં એક સ્થાનિકના મોત બાદ બની હતી.

ઘટનાના પગલે ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ઘટનાની તપાસભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા શરુ કરવામાં આવી હતી. આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને નિવેદનોના આધારે પોલીસે બસની તોડફોડ અને આગ લગાડવાની ઘટનામાં ધરપકડનો દોર શરૂ કર્યો હતો.

મામલાની તપાસમાં એ ડિવિઝન પોલીસે AIMIM ના જિલ્લા પ્રમુખ સહીત ૮ લોકોની ધરપકડ કરી છે. ભરૂચ પોલીસની સત્તાવાર યાદીમાં જણવ્યા અનુસાર ગત તારીખ ૩૧ જાન્યુઆરી 2022ના રોજ શેરપરુા ગામના પાટીયા પાસે રાત્રીના આશરે ૯ વાગ્યાના અરસામાં અકસ્માતનો બનાવ બન્યો હતો. અકસ્માતમાં એક સ્થાનિકનું મોત નીપજ્યું હતું. અકસ્માત કરનાર ખાનગી બસ તેમજ તે ખાનગી ટ્રાવેલ કંપનીની અન્ય બસમાં ટોળાએ તોડફોડ કરી બન્ને બસોને સળગાવી ડ્રાઇવરને માર માર્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ઘટના સંદર્ભે ગુના રજીસ્ટર નંબર 176 / 2022 અંતર્ગત ઇ.પી.કો. કલમ ૩૯૫, ૧૪૩, ૧૪૭,૩૨૩,૫૦૪,૪૩૫ હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી હતી. તોડફોડની ઘટનામાં સંડોવણી સ્પષ્ટ થતા પ્રારંભે ઝુબેરભાઇ ઐયબુ ભાઇ અહમદભાઇ પટેલ , સઇદભાઇ અહમદભાઇ ઇસશાભાઇ પટેલ ,ઇમરાનભાઇ ઇબ્રાહીમભાઇ વલીભાઇ પટેલ , સાદીકભાઇ યાકુબભાઇ અહમદભાઇ પટેલ અને મોહસીન યાકુબભાઇ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ શેરપુરા ગામના રહેવાસી છે.

ધરપકડ કરાયેલા 5 આરોપીઓની પૂછપરછ દરમ્યાન વધુ ત્રણ આરોપીઓના નામ ખુલ્યા છે જે અંતર્ગત પોલીસે AIMIM ના જિલ્લા પ્રમુખ પટેલ નદીમ સહીત વધુ ત્રણની ધરપકડ કરી છે. નદીમ શેરપુરા ગામના વતની અને સ્થાનિક અગ્રણી પણ છે. ધરપકડ કરાયેલા વધુ ૩ આરોપીઓના નામ પટેલ નદીમ અહમેદ ઉફેભીખી અબ્દુલ હક , પટેલ ઇલ્યાસ વલી અને સફયાન અબ્દુલ ઉઘરાદાર ત્રણેય રહેવાસી શેરપુરા ગામ તા.જી.ભરૂચ હોવાનું બહારઆવ્યું છે.

 

આ પણ વાંચો : Bharuch : દહેજ રોડ ઉપર અકસ્માતમાં સ્થાનિકના મોતની ઘટના બાદ રોષે ભરાયેલા ગ્રામજનોએ વાહનોમાં તોડફોડ કરી બે બસ સળગાવી

 

આ પણ વાંચો : Bharuch : દહેજ રોડ ઉપર ઉશ્કેરાયેલા ટોળાએ બસમાં આગ લગાડી, પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે

Published On - 9:02 am, Tue, 15 February 22

Next Article