ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં નર્મદા નદીના પાણી ફરી વળ્યાં છે. નર્મદા નદીના જળસ્તર વધતા જુના પોરા સહિત 10 ગામમાં પાણી ઘૂસ્યા છે. જુના પોરા ગામના અનેક મકાન અને મંદિર પાણીમાં ડૂબી ગયા છે. નર્મદાના વહેણ સાથે મગર તણાઈ આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. વહીવટી તંત્રએ સલામતીના ભાગરૂપે 400 લોકોનું સ્થળાંતર કરાવ્યું છે. ગામ પાસેની એક સરકારી શાળામાં રહેવા, જમવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, વરસાદનું સંકટ યથાવત, જુઓ VIDEO