સિંગતેલના ભાવ વધવાને કારણે મોંઘવારી વધી છે તેમજ મધ્યમ વર્ગના પરિવારોનું બજેટ ખોરવાયું છે. આ અહેવાલો વચ્ચે ભારતીય કિસાન સંઘ ખેડૂતોના બચાવમાં આગળ આવ્યું છે. ભારતીય કિસાન સંઘે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને એક પત્ર લખ્યો છે અને વિનંતી કરી છે કે, સરકાર મગફળીના ભાવને નિયંત્રિત કરવા માટે કોઇ પગલાં ના લે. કિસાન સંઘે પોતાના બચાવમાં કહ્યું છે કે, મોંઘવારી માટે માત્ર સિંગતેલ જવાબદાર નથી. મોંઘવારી માટે પેટ્રોલ, ડીઝલ, મોબાઇલ, ફેશન વગેરે બાબત જેવા ખર્ચમાં વધારો પણ જવાબદાર છે.
આ પણ વાંચો: સ્ટેચ્યુ ઓફ યુનિટીના સામેના કાંઠે બનાવાયું છે ‘શ્રેષ્ઠ દ્રશ્યમ’, વડાપ્રધાન મોદી લેશે મુલાકાત
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો