સ્ટેચ્યુ ઓફ યુનિટીના સામેના કાંઠે બનાવાયું છે ‘શ્રેષ્ઠ દ્રશ્યમ’, વડાપ્રધાન મોદી લેશે મુલાકાત
PM મોદી સી-પ્લેનનું ઉદઘાટન કરવા 31 ઓક્ટબરે ગુજરાતમાં છે. આ દરમિયાન તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સામેના કાંઠે આવેલા શ્રેષ્ઠ દ્રશ્યમની મુલાકાત લેશે. નર્મદા નદીના ડાબા કાંઠા વિસ્તાર થવાડિયા ગામની આગળ જતા જંગલ ખાતાએ “શ્રેષ્ઠ દ્રશ્યમ” નામનો એક વ્યુ પોઇન્ટ ઉભો કર્યો છે. જ્યાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો નજારો ખૂબજ સુંદર જોવા મળે છે. પીએમ મોદી અહીં […]
PM મોદી સી-પ્લેનનું ઉદઘાટન કરવા 31 ઓક્ટબરે ગુજરાતમાં છે. આ દરમિયાન તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સામેના કાંઠે આવેલા શ્રેષ્ઠ દ્રશ્યમની મુલાકાત લેશે. નર્મદા નદીના ડાબા કાંઠા વિસ્તાર થવાડિયા ગામની આગળ જતા જંગલ ખાતાએ “શ્રેષ્ઠ દ્રશ્યમ” નામનો એક વ્યુ પોઇન્ટ ઉભો કર્યો છે. જ્યાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો નજારો ખૂબજ સુંદર જોવા મળે છે. પીએમ મોદી અહીં 10 મિનિટનો સમય ગાળશે. ગયા વર્ષે વડાપ્રધાન એકતા પરેડમાં આવ્યા હતા ત્યારે આ સ્થળને વિકસાવવા માટે ફોરેસ્ટ વિભાગને સૂચના આપી હતી કે, અહીંયા એક સેલ્ફી પોઇન્ટ ઉભો કરવામાં આવે જેથી સરદાર પટેલની વિરાટ પ્રતિમાનો વિરાટ નજારો જોઈ શકાય.
આ પણ વાંચો: દાહોદઃ GST વિભાગના દરોડા, કરોડો રૂપિયાની ટેક્સ ચોરી બહાર આવવાની શક્યતા
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો