બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના શંકાસ્પદ દર્દીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે બનાસ મેડિકલ કોલેજ દ્વારા RT-PCR લેબ શરૂ કરવામાં આવી છે. જે જિલ્લાવાસીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઇ રહી છે. અત્યાર સુધી બનાસકાંઠાના કોરોના દર્દીઓના સેમ્પલ ધારપુર કે અમદાવાદ મોકલવામાં આવતા હતા. જેનું પરિણામ આવતા વધુ 2થી 3 દિવસ લાગતા હતા. જો કે હવે બનાસકાંઠામાં ઘર આંગણે RT-PCR ટેસ્ટ લેબ શરૂ કરવામાં આવતા હવે કોવિડ ટેસ્ટનું તાત્કાલિક પરિણામ મળશે. હાલમાં બનાસ મેડિકલ કોલેજ ખાતે રોજના 300 જેટલા સેમ્પલ આવે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો