કેન્દ્રીય કેબિનેટે તારંગા હિલ-અંબાજી-આબુ રોડને રેલવે નેટવર્કથી જોડવાની આપી મંજૂરી, 4 વર્ષમાં કામ કરાશે પૂર્ણ
કેબિનેટે આજે તારંગા હિલ-અંબાજી-આબુ રોડ રેલ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રીના જણાવ્યા અનુસાર આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ 2,798 કરોડ રૂપિયા છે અને આ પ્રોજેક્ટ 2026-27 સુધીમાં પૂર્ણ થશે.
આજની કેબિનેટ બેઠકમાં ઘણા મહત્વના નિર્ણયોને મંજૂરી આપવામાં આવી છે. જેમાં રેલવે (Railway) ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કોવિડ (Covid) બૂસ્ટર ડોઝ સંબંધિત નિર્ણયો સામેલ છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે કેબિનેટે નવા રેલવે પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. આ નવું રેલ્વે ઈન્ફ્રાસ્ટ્રક્ચર માત્ર ગુજરાત અને રાજસ્થાનના કેટલાક પ્રખ્યાત ધાર્મિક અને પર્યટન સ્થળોને દેશના અન્ય ભાગો સાથે જોડશે નહીં, પરંતુ તે બંને રાજ્યો વચ્ચેની કનેક્ટિવિટી પણ વધારશે. આ સાથે કેબિનેટે કોવિડથી રક્ષણ માટે 18 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને મફત બૂસ્ટર ડોઝ આપવાના નિર્ણયને પણ મંજૂરી આપી છે.
કેબિનેટના નિર્ણય સાથે કેન્દ્રીય મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે માહિતી આપી હતી કે દેશમાં ચાલી રહેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે તાલીમ અને સંશોધન પ્રદાન કરવા માટે ગુજરાતમાં ગતિશક્તિ યુનિવર્સિટીનું વિસ્તરણ કરવામાં આવશે અને તેને ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો પણ મળશે.
Union Cabinet gives nod to Taranga Hill-Ambaji-Abu Road new railway line : #Gujarat BJP Chief C.R.Patil announced pic.twitter.com/7wuYR3fQ20
— Tv9 Gujarati (@tv9gujarati) July 13, 2022
શું છે નવી રેલવે પરિયોજના
કેબિનેટે આજે તારંગા હિલ-અંબાજી-આબુ રોડ રેલ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રીના જણાવ્યા અનુસાર આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ 2,798 કરોડ રૂપિયા છે અને આ પ્રોજેક્ટ 2026-27 સુધીમાં પૂર્ણ થશે. કેન્દ્રીય મંત્રીના જણાવ્યા અનુસાર આબુ અંબાજી અને તારંગાને રેલ્વે નેટવર્ક સાથે જોડવાની માંગ ઘણા સમયથી હતી. અંબાજી એક મુખ્ય યાત્રાધામ છે. સાથે જ આબુમાં પણ મોટી સંખ્યામાં લોકો પહોંચી જાય છે. આ સાથે ગુજરાતનું તારંગા પણ ખૂબ જ પ્રખ્યાત યાત્રાધામ છે.
કેબિનેટના નિર્ણય અનુસાર આ ત્રણેય સ્થળોને રેલવે નેટવર્ક સાથે જોડવામાં આવશે. આ રેલ્વે લાઈન 116 કિલોમીટર લાંબી હશે. આ પ્રોજેક્ટથી મોટી સંખ્યામાં લોકોને રોજગારી પણ મળશે. આનાથી મહેસાણા પાલનપુર મુખ્ય લાઈન અને ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર પરનું દબાણ પણ ઘટશે. અનુરાગ ઠાકુરના જણાવ્યા અનુસાર તારંગા હિલ અંબાજી આબુ રોડ પર કોઈ રેલ કનેક્ટિવિટી નહોતી, જોકે તે રાજ્યના બાકીના ભાગો સાથે જોડાયેલી હતી. આ પ્રોજેક્ટ્સ સાથે માત્ર આ ત્રણ સાઈટ્સ જ નહીં, પરંતુ બંને રાજ્યોને જોડતો નવો માર્ગ પણ તૈયાર થશે. તેનાથી અન્ય માર્ગો પર ટ્રાફિકનું ભારણ ઘટશે.