વરસતો વરસાદ કાલથી શરુ થતી નવરાત્રીની મજા બગાડી શકે છે. ખેલૈયાઓના થનગનાટ પર વરસાદથી બ્રેક લાગવાની સંભાવના છે. વડોદરાના કેટલાંક ગરબા આયોજકોએ આવતીકાલે પાર્ટી પ્લોટમાં થતા ગરબા બંધ રાખ્યા છે. એટલું જ નહિ, જો વરસાદ વરસવાનું સતત ચાલુ જ રહેશે, તો બીજા, અને ત્રીજા નોરતે પણ ગરબા બગડશે. કારેલીબાગ વિસ્તારના અંબાલાલ પાર્કમાં પહેલા દિવસે ગરબા રદ કરાયા છે. જોકે આયોજકોનું કહેવું છે કે જો તડકો નિકળશે તો ગરબા ચાલુ રખાશે. ગરબા રદ થવાના અહેવાલો બાદ હવે ખેલૈયાઓ ઉઘાડ નિકળે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: VIDEO: દૂધની થેલીઓ ફેંકાઈ પાણીમાં! જાણો શું છે કારણ?