Gujarati NewsGujaratAyodhya verdict has put an end to century old dispute gujarat cm vijay rupani
CM રૂપાણી અને કોંગ્રેસ નેતા અમિત ચાવડા એક મંચ પર, અયોધ્યા ચુકાદા પર કહી આ વાત
અયોધ્યામાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ સીએમ વિજય રૂપાણીએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદાથી દાયકાઓ જૂના અયોધ્યા જમીન વિવાદનો અંત આવ્યો છે. બંને કોમના લોકોએ ચુકાદાને આવકાર્યો છે. ખેડાના વડતાલમાં વચનામૃત દ્વિશતાબ્દી કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા હાજર રહ્યા. આ પણ વાંચોઃ અયોધ્યા ચુકાદા બાદ NSA અજીત ડોભાલના નિવાસસ્થાને તમામ […]
Follow us on
અયોધ્યામાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ સીએમ વિજય રૂપાણીએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદાથી દાયકાઓ જૂના અયોધ્યા જમીન વિવાદનો અંત આવ્યો છે. બંને કોમના લોકોએ ચુકાદાને આવકાર્યો છે. ખેડાના વડતાલમાં વચનામૃત દ્વિશતાબ્દી કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા હાજર રહ્યા.
સીએમે વચનામૃત પ્રદર્શન સ્થળને ખુલ્લું મૂક્યું. આ પ્રદર્શનમાં જીવન શૈલી અને જીવન જીવવાના વિવિધ સંદેશ દર્શાવાયા છે. તો અમિત ચાવડાએ પણ અયોધ્યા મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું કે અયોધ્યાના ચુકાદાને કોંગ્રેસ પક્ષે સન્માન સાથે સ્વીકાર્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો