રાજ્યના મોટા ભાગના મંદિર પ્રશાશન દ્વારા મંદિરને જાહેર જનતા માટે આગામી 29 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે, પરંતુ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આગામી 25મી માર્ચથી ચૈત્રી નવરાત્રી શરુ થવાની છે. આ સમય દરમિયાન પાડોશી રાજ્યો મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે. આ સમય દરમિયાન કોરોનાને લઈને મહામારી ન ફેલાય તે હેતુને લઈને સરકાર દ્વારા કરવામાં આવેલા અનુરોધ બાબતે પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રી દરમિયાન દર્શન બંધ રાખવા કે ચાલુ રાખવા તે બાબતે હાલ નિર્ણય લેવાયો નથી. જિલ્લા કલેકટરે રાજ્ય સરકારની એડવાઈઝરી પ્રમાણે આ સમય દરમિયાન દર્શન બંધ રાખવા માટે અનુરોધ કર્યો છે, પરંતુ પાવાગઢ મંદિર ટ્રસ્ટ તરફથી કોઈ ચોક્કસ નિર્ણય હજુ સુધી કરવામાં આવ્યો નથી.
આ પણ વાંચો: સાબરકાંઠાઃ કોરોના વાઈરસ સામે NRI ગામોમાં મેડિકલ સ્ક્રિનિંગ કરાશે
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો