અમદાવાદના શાહ આલમ વિસ્તારમાં થયેલી હિંસાની ઘટના બાદ હાલમાં શાંતિનો માહોલ છે. ત્યારે આ ઘટનામાં ઘાયલ થયેલા પોલીસકર્મીઓને અને અન્ય લોકોને શહેરની એલ.જી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ત્યારે સારવાર લઈ રહેલા પોલીસકર્મીઓની તબિયતમાં સુધારો થતાં તેમને રજા આપવામાં આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ગઈકાલે થયેલી હિંસા બાદ 28 લોકોને એલ.જી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી, જેમાં 24 પોલીસકર્મીઓ, 3 મીડિયાકર્મીઓ અને 1 શહેરીજનનો સમાવેશ થાય છે. હાલમાં ઈજાગ્રસ્ત થયેલા પોલીસકર્મી અને અન્ય લોકોને સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે. જ્યારે 3 પોલીસકર્મીઓ હજુ પણ સારવાર હેઠળ છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો