Bhavnagar: કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો, પણ હોસ્પિટલમાં દાખલ થનારાની સંખ્યા માત્ર 4 ટકા

|

Jan 19, 2022 | 7:33 AM

હાલ ભાવનગર શહેર અને જિલ્લામાં 300થી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ છે. ત્રીજી લહેર દરમિયાન પોઝિટિવ આવેલા કુલ દર્દીઓમાંથી હાલમાં માત્ર 6 દર્દીઓ જ ભાવનગરની સર.ટી.હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Bhavnagar: કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો, પણ હોસ્પિટલમાં દાખલ થનારાની સંખ્યા માત્ર 4 ટકા
Vaccination In Bhavnagar (File)

Follow us on

રસીકરણના કારણે  ફાયદો, હોસ્પિટલમાં દાખલ દર્દીઓને પણ ઓક્સિજન-વેન્ટીલેટરની જરૂરિયાત નહીં

 

કોરોના (Corona)ની ત્રીજી લહેર દેશ અને દુનિયામાં હાહાકાર મચાવી રહી છે. રાજ્યમાં પણ કોરોનાના કેસો  280% ની ઝડપે વધી રહયા છે. કેસો વધતા રાજ્ય સરકારની ચિંતામાં પણ વધારો થયો છે. પરંતુ આ બધા સંકટના સમાચાર વચ્ચે એક રાહતના સમાચાર એ છે કે ત્રીજી લહેર (third wave)માં કોરોના દર્દીઓ (Corona patients)નો હોસ્પિટલમાં એડમિટ થવાનો રેસિયો માત્ર 4% છે. જેનુ કારણ રસીકરણને માનવામાં આવે છે.

ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાના કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા છે, પરંતુ ખાનગી અને સરકારી હોસ્પિટલમાં કોરોના ગ્રસ્ત દર્દીઓ નહિવત દાખલ થઈ રહ્યા છે અને નહિવત લોકોને ઓકસીજન કે વેન્ટિલેટર પર લઈ જવા પડે છે. ભાવનગરમાં જે લોકોએ રસીના એક કે બંને ડોઝ લઇ લીધા છે તેમને કોરોના ભલે થયો હોય પરંતુ તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડે તેવી સ્થિતિ જોવા નથી મળી રહી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

હાલ ભાવનગર શહેર અને જિલ્લામાં 300થી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ છે. ત્રીજી લહેર દરમિયાન પોઝિટિવ આવેલા કુલ દર્દીઓમાંથી હાલમાં માત્ર 6 દર્દીઓ જ ભાવનગરની સર.ટી.હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બાકીના દર્દીઓએ રસી મુકાવી હોવાના કારણે હોમ આઇસોલેશનમાં જ સારવાર લઈ રહયા છે. જે દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તેમને પણ ઓકસીજન કે વેન્ટીલેટરની જરૂરિયાત ઊભી નથી થઇ.

ભાવનગરમાં ખાનગી અને સરકારી હોસ્પિટલમાં મળીને કુલ માત્ર 28 દર્દીઓ જ સારવાર હેઠળ છે. કોરોના સામે રસી હકીકતમાં ત્રીજી લહેર સામે લડવામાં લોકોને મદદરૂપ બની રહી છે.

બીજી તરફ ભાવનગરની સર.ટી.હોસ્પિટલનું ખૂબ સાબદુ બની ત્રીજી લહેર સામે તૈયારી સાથે કામ કરી રહ્યું છે. હાલ ભાવનગર સર.ટી.હોસ્પિટલમાં તંત્રએ 1030 ઓકસીજન બેડ,187 વેન્ટીલેટર બેડ, સ્પે. 20 બેડનો ઓમીક્રોન વોર્ડ સહિતની તૈયારી કરી છે. હોસ્પિટલ દ્વારા મોટી સંખ્યામાં કોરોનાના દર્દીઓ માટે બેડની વ્યવસ્થા કરાઇ હોવા છતાં હોસ્પિટલ સુધી કોરોના પોઝિટિવ દર્દીઓ ખૂબ જ ઓછા પ્રમાણમાં પહોંચે છે.

મહત્વનું છે કે 18 જાન્યુઆરીના રોજ ભાવનગરમાં કોરોનાના નવા 102 કેસ નોંધાયા છે અને છેલ્લા થોડા દિવસથી 100ની આસપાસ કેસ નોંધાઇ રહ્યા છે. જો કે ભાવનગરમાં નાગરિકોએ મોટી સંખ્યામાં રસીકરણ કરાવી દીધુ છે. જેના પગલે લોકોને ત્રીજી લહેરમાં પણ હાલાકીનો સામનો નથી કરવો પડી રહ્યો.

 

આ પણ વાંચોઃ

ગુજરાતના મહેસૂલ વિભાગમાં ભ્રષ્ટાચારીઓની હવે ખેર નહિ, એસઆઇટીની રચના કરાશે

આ પણ વાંચોઃ

Published On - 7:00 am, Wed, 19 January 22

Next Article