અમરેલીમાં હવે DIG રાજન સુશરા દર મહિને બેવાર મળશે, અરજદારો રૂબરૂ સંપર્ક કરી જણાવી શકશે સમસ્યાઓ

અમરેલી જિલ્લામાં હવે DIG રાજન સુશરા મહિનામાં બે વાર મુલાકાત લેશે. તેઓ પોલીસ સ્ટેશનોનું નિરીક્ષણ કરી અરજદારોની સમસ્યાઓ સીધી સાંભળશે અને તેનો ન્યાયી ઉકેલ લાવશે. આ નવી પહેલથી પોલીસ કામગીરીમાં પારદર્શિતા અને જવાબદારી વધશે. DIG રાજન સુશરા આ કામગીરીનો સીધો અહેવાલ DGP અને રાજ્ય ગૃહ વિભાગને આપશે, જેથી નાગરિકોને ઝડપી ન્યાય મળી શકે.

અમરેલીમાં હવે DIG રાજન સુશરા દર મહિને બેવાર મળશે, અરજદારો રૂબરૂ સંપર્ક કરી જણાવી શકશે સમસ્યાઓ
| Edited By: | Updated on: Feb 15, 2026 | 9:20 PM

ગુજરાત સરકાર દ્વારા દરેક જિલ્લામાં પ્રભારી મંત્રીઓ મહત્વની જવાબદારી સોંપી કામગીરી હાથ ધરી છે. દરેક જિલ્લામાં પ્રભારી મંત્રીને જવાબદારી સોંપવામાં આવી છે એવી જ રીતે રાજ્યના ગૃહ વિભાગ તરફથી અલગ અલગ જિલ્લામા 35 જેટલા ડીઆઈજી કક્ષાના અધિકારીઓને જવાબદારી સોંપવામા આવી છે. અમરેલી જિલ્લામાં રાજન સુશરાને જવાબદારી સોંપવામાં આવી છે અમરેલી જિલ્લામાં વર્ષ દરમ્યાન દર માસે બે દિવસ માટે મુલાકાત લઈ તેની કામગીરીનો અહેવાલ DGP અને રાજ્ય ગૃહવિભાગને મોકલવાનો રહેશે.

અમરેલી જિલ્લામાં DIG રાજન સુશરા શુ કરશે?

એક માસના પ્રથમ અઠવાડિયે ટુર પ્રોગ્રામ બનાવી તેની નકલ અગાઉથી અમરેલી જિલ્લા પોલીસ વડાને મોકલવાની રહેશે બીજા અને ત્રીજા અઠવાડિયામાં પ્રોગ્રામ પૂર્ણ કરી કાર્યવાહીનો અહેવાલ માસના ચોથા અઠવાડિયામાં ગૃહ વિભાગ અને ડીજીપીને મોકલવાનો રહેશે અને અમરેલી SP,DYSP, પોલીસ સ્ટેશન સહિત કચેરીની મુલાકાત લેવાની રહેશે. વર્ષ દરમ્યાન જિલ્લાના મહત્તમ પોલીસ સ્ટેશન આવરી પોલીસ સ્ટેશનની મુલાકાત લેવાની રહેશે.

પોલીસમાં રજુઆત કરનારાને સીધા ન્યાય નહીં મળ્યો હોય તો DIGને મળી શકશે

મુખ્યમંત્રી કાર્યાલય, નાયબ મુખ્યમંત્રી કાર્યાલય, ગૃહ વિભાગ તરફથી મળતા પત્રો, DGP અને મુખ્ય પોલીસ અધિકારીઓની કચેરીના રેફરેન્સ, પોલીસ અધિક્ષક કચેરીઓ તરફથી મળતી અરજીઓ તથા સ્થાનિક કક્ષાએ આવેલ અરજદારોની અરજીઓનું યોગ્ય અને સમયમર્યાદામાં નિરીક્ષણ થયેલ છે કે કેમ?તે જોવાનું રહેશે તેમજ દફતરે કરેલ અરજીઓ પેકી 10થી 15 અરજદારોને રૂબરૂ સંપર્ક કરીને ખરેખર તેઓની અરજીઓ દફતરે કરવા લાયક હતી કે કેમ.?તેની ચકાસણી કરવાની રહેશે.

પ્રભારી મંત્રી સરકારને રિપોર્ટ આપે એ જ રીતે DIG સીધો રિપોર્ટ DGPને કરશે

DIGને દર માસે એક કે બે પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ અરજદારોની અરજી ચકાસી અરજદારોને રૂબરૂ મળવાનું રહેશે. ઉક્ત વિઝિટ અંગેની સૂચના સંબંધિત પોલીસ વડાને લેખિતમાં આપવાની રહેશે અને તેનો અહેવાલ રાજ્યના પોલીસ વડા અને ગૃહ વિભાગને અહેવાલ આપવા સુચનનું અચૂક પાલન થયું છે. તેની ડીજીપી તમામ મળેલ અહેવાલની ચકાસણી કરી ગૃહ વિભાગને મોકલી આપશે.

Input Credit- Jaydev Kathi- Amreli

અમરેલીમાં ઉદ્યોગપતિના પુત્રની હેલિકોપ્ટરમાં આવી જાન, Video થયો વાયરલ

Published On - 9:16 pm, Sun, 15 February 26