જે આદમખોરે છેલ્લા કેટલાય દિવસોથી હાહાકાર મચાવી રાખ્યો હતો. તેને આખરે ઠાર મરાયો છે. અમરેલીમાં માનવભક્ષી દીપડાને ઠાર મારી દેવાયો છે. ઠાર કરાયેલા દીપડાને જસાધાર એનિમલ સેન્ટરમાં ખાતે ખસેડવામાં આવ્યો હતો. દીપડાના મૃતદેહનું પીએમ કરવામાં આવશે અને પરીક્ષણ કરાશે કે દીપડો માનવભક્ષી હતો કે કેમ?
મળતી માહિતી મુજબ ગૌશાળામાં વન વિભાગના માત્ર એક જ શૂટર દ્વારા આ દીપડાને ઠાર મારવામાં આવ્યો હતો. છેલ્લે દીપડાઓનું એક જૂથ બગસરાની ગૌશાળાના CCTVમાં દેખાયો હતો. જેમાં એક નહીં બે દીપડાઓ જોવા મળ્યા હતા. તેથી વન વિભાગને અનુમાન છે કે, બીજો દીપડો પણ અહી આવી શકે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો