કોરોના સંકટ સામે ઝઝૂમી રહેલું હીરા બજાર આજથી ફરીથી ધમધમતું થશે. જોકે, આના માટે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોએ ચોક્કસ નિયમો પાળવાના રહેશે. આ નિયમ મુજબ હીરા બજારની તમામ ઓફિસો બપોરે બે વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી જ ચાલુ રાખી શકાશે.
સાથે સાથે હીરા બજારોમાં રસ્તાઓ ઉપર ઊભા રહી વાહનો પર બેસી કે ઓટલા ઉપર બેસીને ખરીદી-વેચાણ કરી શકાશે નહી. બજારની શેરીઓમાં તથા ઓફિસોની પ્રત્યેક કેબીનમાં એક સાથે ચાર કે તેથી વધુ વ્યક્તિ ભેગા થઈ શકશે નહીં.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો