અમદાવાદીઓ માટે કોરોનાને લઈ મોટા સમાચાર, કોરોના હર્ડ ઈમ્યુનિટી સ્ટેજમાં નથી, કોર્પોરેશને કરાવેલા સર્વેમાં સામે આવ્યા તારણ, અગાઉ કોરોના સંક્રમિત દર્દીઓમાં ફરી કોરોના થવાની શક્યતા
અમદાવાદીઓ માટે કોરોને લઈને સારા અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જેમાં કોર્પોરેશન દ્વારા કરાવવામાં આવેલા સર્વેમાં બહાર આવ્યું છે કે અમદાવાદમાં કોરોના હર્ડ ઈમ્યુનિટી સ્ટેજમાં નથી. અમદાવાદ મ્યુ. કોર્પોરેશને કરાવેલા સર્વેમાં એ તારણ પણ સામે આવ્યું છે કે અગાઉ કોરોના થયેલા સંક્રમિત દર્દીઓમાં ફરી કોરોના થવાની શક્યતા રહેલી છે. આશરે 40 ટકા […]
અમદાવાદીઓ માટે કોરોને લઈને સારા અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જેમાં કોર્પોરેશન દ્વારા કરાવવામાં આવેલા સર્વેમાં બહાર આવ્યું છે કે અમદાવાદમાં કોરોના હર્ડ ઈમ્યુનિટી સ્ટેજમાં નથી. અમદાવાદ મ્યુ. કોર્પોરેશને કરાવેલા સર્વેમાં એ તારણ પણ સામે આવ્યું છે કે અગાઉ કોરોના થયેલા સંક્રમિત દર્દીઓમાં ફરી કોરોના થવાની શક્યતા રહેલી છે. આશરે 40 ટકા દર્દીમાં પ્રતિરોધકતાનો અભાવ જોવા મળે છે અને આવા દર્દીઓને ફરી કોરોના થવાનો ખતરો રહે છે. AMC દ્વારા 10 હજાર વ્યક્તિઓનો બીજો સર્વે કરવામાં આવ્યો જેમાં કોરોના સેરો-પોઝિટીવીટી 23.24 ટકા નોંધાઈ તો પહેલા સર્વેની સરખામણીએ સેરો-પોઝિટીવીટીમાં સરેરાશ 5.63 ટકાનો વધારો જોવા મળ્યો કે જે દોઢ મહિનામાં અમદાવાદમાં કોરોનાના કેસમાં 5.5 ટકાનો વધારો બતાવે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો