રથયાત્રાને લઈને ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી. આ પ્રેસ કોન્ફરન્સમાં રથયાત્રાને લઈને મહત્વની વાત કરવામાં આવી.
સમ્રગ ભારતમાં હાલ કોરોનાનો કેર વર્તાઈ રહ્યો છે.અને સાથે રાજ્ય સરકાર તમામ રીતે કાર્યશીલ છે, કે કોરોનામાં ઓછામાં ઓછા લોકોના મોત થાય તેને લઈને સરકાર સતત પ્રયત્નશીલ છે.
આગામી દિવસોમાં અમદાવાદમાં ઐતિહાસિક રથયાત્રા બાબતે ગૃહ મંત્રાલયે હજુ સૂધી કોઈ સતાવાર નિર્ણય લીધો નથી. અમદાવાદ શહેર અને રથયાત્રાના જે પરંપરાગત રૂટ હોય છે,ત્યાં લગભગ 1600 લોકો થોડા સમય પહેલા કોરોનાથી સંક્રમિત હતા.અને આખા ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધારે કેસ છે.
રથયાત્રા નિહાળવા માટે સામાન્ય સંજોગોમાં માનવ મેદની એકઠી થતી હોય છે,આથી જો રથયાત્રાનું આયોજન કરવામાં આવે તો કોરોનાનું સંક્રમણ વધી શકે છે. સોશિયલ ડિસ્ટન્ટસ જળવાતું નથી તેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા હાલમાં રથયાત્રા યોજાશે કે નહિ તેને લઈને કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.