Ahmedabad : અમદાવાદ મહાનગર પાલિકામાં મેયર સહિત અનેક હોદ્દેદારોના નામની જાહેરાત બુધવારે મળનારી સામાન્ય સભામાં કરવામાં આવશે. જો કે આ પૂર્વે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના સભ્યો માટે ભાજપના કોર્પોરેટરે આજે ફોર્મ ભર્યા હતા. જેમના નામની જાહેરાત બોર્ડ બેઠકમાં કરવામાં આવશે. ગુજરાતમાં હાલમાં જ યોજાયેલી છ મહનગર પાલિકાની ચુંટણીમાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો હતો. તેમજ તેની બાદ યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચુંટણીમાં ભાજપનો વિજય થયો હતો. જેના ભાગરૂપે હવે સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં તબક્કાવાર હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી રહી છે.