અમદાવાદમાં શાયોના-ચાંદલોડિયાને જોડતો રેલવે અંડર પાસ શરૂ થવાના ઇન્તેજારનો અંત

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 2 જુલાઈએ 33 કરોડના રેલવેના કામનું ખાતમુહરત અને લોકાર્પણ કરશે. અને તે બાદ થલતેજ ખાતે 85 હજાર વૃક્ષોનું મિયાવાકી પદ્ધતિથી વૃક્ષ વાવી શરૂઆત કરાવશે.

અમદાવાદમાં શાયોના-ચાંદલોડિયાને જોડતો રેલવે અંડર પાસ શરૂ થવાના ઇન્તેજારનો અંત
Symbolic image
| Edited By: | Updated on: Jun 30, 2022 | 6:13 PM

અમદાવાદ (Ahmedabad) માં શાયોના અને ચાંદલોડિયાને જોડતા રેલવે અંડર પાસ (railway under pass) ના શરૂ થવાની રાહ સ્થાનિકો જોતા હતા તે રાહનો હવે અંત આવ્યો છે. કેમ કે 2 જુલાઈએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Union Home Minister Amit Shah) તે અંડર પાસ સહિત 33 લાખના કામોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારી મંત્રી અમિત શાહ અમદાવાદમાં છે. જેઓ 1 જુલાઇ અને 2 જુલાઈએ વિવિધ કાર્યક્રમમાં હાજરી આપવાના છે. જેમાં 2 જુલાઈ એ અમિત શાહ 33 કરોડના રેલવેના કામનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરશે. જેમાં કેટલાય સમયથી 4 કરોડના ખર્ચે બનીને પડેલા શાયોના અને ચાંદલોડિયા વિસ્તારને જોડતા રેલવે અંડર પાસની કેન્દ્રીય ગૃહ મંત્રી શરૂઆત કરાવશે. તેમજ તે જ સ્થળ પાસે સભા પણ સંબોધશે. જેની સાથે એસ જી હાઇવે જોડતા. ચાંદખેડા. ત્રાગડ અને ડી કેબીન ખાતેના અલગ અલગ રેલવે અંડર પાસનું ખાતમૂહુર્ત પણ કરશે.

AMC ના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટના જણાવ્યા પ્રમાણે 2 જુલાઈએ ગાંધીનગર મત વિસ્તારના સાંસદ દ્વારા પાંચ કામ કરાશે. જેમાં 4 કામ રેલવેના છે. શાયોના પાર્ક પાસે ચાંદલોડિયા બી સ્ટેશન પર ટીકીટ સુવિધા શરૂ કરાવશે. તેમજ શાયોના અંડર પાસ 4 કરોડના વધુ ખર્ચે બનાવ્યો તેનું લોકાર્પણ કરશે અને સભા સંબોધશે. તેમજ એસ જી હાઇવે. ચાંદખેડા. ત્રાગડ અને ડી કેબીન અંડર પાસનું ખાતમૂહુર્ત કરશે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 2 જુલાઈએ 33 કરોડના રેલવે ના કામનું ખાતમુહરત અને લોકાર્પણ કરશે. અને તે બાદ થલતેજ ખાતે 85 હજાર વૃક્ષોનું મિયાવાકી પદ્ધતિથી વૃક્ષ વાવી શરૂઆત કરાવશે. AMC સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટનું જણાવવું હતું કે 85 હજાર વૃક્ષ રોપણ કરવાથી ઓક્સિજન મળશે. જેમાં એક સાથે 22 હજાર વાર જગ્યામાં મિયાવાકી પદ્ધતિથી વૃક્ષ વવાશે. તેમજ  અગાઉ ગોતામાં 65 હજાર વૃક્ષ વાવ્યા હતા ગયા વર્ષે. તો  5 લાખ થી વધુ વૃક્ષ વાવવાનું નક્કી કર્યું તે કામ કર્યું. અને  બાપુનગર પછી આ પહેલી જગ્યા જ્યાં વધુ વૃક્ષ વાવવામાં આવશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો

AMC સ્ટેન્ડિંગ કમિટી હિતેશ બારોટ ના જણાવ્યા પ્રમાણે 85 હજાર વૃક્ષ રોપણ કરાશે જેના કારણે ઓક્સિજન મળશે. જેમાં એક સાથે 22 હજાર વાર જગ્યામાં મિયાવાકી પદ્ધતિથી વૃક્ષ વવાશે. અગાઉ ગોતામાં 65 હજાર વૃક્ષ વાવ્યા હતા ગયા વર્ષે. 5 લાખ થી વધુ વૃક્ષ વાવવાનું નક્કી કર્યું તે કામ કર્યું. બાપુનગર પછી આ પહેલી જગ્યા જ્યાં વધુ વૃક્ષ વાવવાના હશે.

આમ, કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારી મંત્રી અમિત શાહ 2 જુલાઈએ અમદાવાદ ખાતે અને 1 જુલાઈએ અન્ય કાર્યક્રમમાં હાજરી આપશે. જે કાર્યક્રમને લઈને રેલવે અને સંલગ્ન વિભાગ દવારા તૈયારી કરી દેવાઈ છે. જે કામોનું ખાતમુહરત અને લોકાર્પણ થતા લોકોની સુવિધામાં વધુ વધારો થશે.

Published On - 6:11 pm, Thu, 30 June 22

Follow Us
Loading...
Unable to load recommendations.