
ગુજરાત સહિત સમગ્ર દેશમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને લઈને મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને ગુજરાતમાં સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં જન્માષ્ટમીના પર્વને લઈને વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
શામળાજીમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને લઈને મંદિર પરિસરમાં ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. ભજન, કીર્તન, આરતી અને જયઘોષના માહોલ વચ્ચે સમગ્ર શામળાજી ધામ કૃષ્ણભક્તિમાં રંગાઈ ગયું હતું.
મધરાતે 12 વાગ્યે કાન્હાના પ્રાગટ્યની પાવન ક્ષણ આવતા જ ભક્તોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. ‘જય દ્વારકાધીશ’ના ગગનભેદી નાદ સાથે ભક્તોએ પોતાના વ્હાલા ઠાકોરજીના વધામણા કર્યા હતા. ભગવાનના જન્મોત્સવ સાથે જ સમગ્ર મંદિર પરિસર કૃષ્ણમય બની ગયું હતું.
ઉત્તર પ્રદેશના મથુરામાં આવેલા શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરમાં પણ જન્માષ્ટમીના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ભગવાન શ્રીકૃષ્ણના પ્રાગટ્યની પાવન ક્ષણને લઈને મંદિર પરિસરમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
મોટી સંખ્યામાં ભક્તો ભગવાન શ્રીકૃષ્ણના દર્શન માટે ઉમટી પડ્યા હતા. કાન્હાના જન્મોત્સવની ખુશીમાં ભક્તોએ પૂજા-અર્ચના કરી હતી અને જયઘોષ સાથે જન્માષ્ટમીની ઉજવણીમાં ભાગ લીધો હતો.
#WATCH | Mathura, Uttar Pradesh: The birth of Lord Krishna is being celebrated at the Shri Krishna Janmabhoomi Temple on the occasion of Krishna Janmashtami. pic.twitter.com/LJfbp3LEcr
— ANI (@ANI) September 4, 2026
શ્રીકૃષ્ણના જન્મોત્સવ બાદ દેશભરના કૃષ્ણ મંદિરોમાં આરતી અને પૂજા-અર્ચનાનો માહોલ જોવા મળ્યો હતો. શંખનાદ અને ઘંટનાદ વચ્ચે ભક્તોએ કાન્હાની આરતી ઉતારી હતી. ‘જય કનૈયા લાલ કી’ અને ‘નંદ ઘેર આનંદ ભયો’ના જયઘોષથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું.
જન્માષ્ટમીના પાવન પર્વે ભગવાન શ્રીકૃષ્ણના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો મંદિરોમાં પહોંચ્યા હતા. ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહ સાથે દેશભરમાં કાન્હાના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.
જૂનાગઢની સિમેન્ટ ફેક્ટરીમાં સિંહના બચ્ચાની લટાર, CCTVમાં ઘટના કેદ