અમદાવાદીઓ માટે મહત્વના સમાચાર, RTO કચેરી ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટના સમયમાં કરાયો આ ફેરફાર

|

Mar 15, 2023 | 11:01 PM

અમદાવાદમાં સુભાષબ્રિજ આરટીઓ કચેરી અને વસ્ત્રાલ આરટીઓ કચેરી ખાતે પાકા લાયસન્સ મેળવવાના ડ્રાઇવિંગ ટેસ્ટના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં આરટીઓ કચેરી દ્વારા ડ્રાઈવિંગ સ્લોટ 15 થી ઘટાડી 9 કરાયા છે. તેમજ એપોઈન્ટમેન્ટની પણ સંખ્યા વધારાઈ છે. જેમાં ટુવ્હિલરની 30 અને ફોર વ્હિલરની 20 એપોઇન્ટમેન્ટ કરાઇ છે

અમદાવાદીઓ માટે મહત્વના સમાચાર, RTO કચેરી ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટના સમયમાં કરાયો આ  ફેરફાર
RTO Office Ahmedabad

Follow us on

અમદાવાદમાં સુભાષબ્રિજ આરટીઓ કચેરી અને વસ્ત્રાલ આરટીઓ કચેરી ખાતે પાકા લાયસન્સ મેળવવાના ડ્રાઇવિંગ ટેસ્ટના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં આરટીઓ કચેરી દ્વારા ડ્રાઈવિંગ સ્લોટ 15 થી ઘટાડી 9 કરાયા છે. તેમજ એપોઈન્ટમેન્ટની પણ સંખ્યા વધારાઈ છે. જેમાં ટુવ્હિલરની 30 અને ફોર વ્હિલરની 20 એપોઇન્ટમેન્ટ કરાઇ છે. જેમાં હવે બદલાયેલા સમય અનુસાર અરજદારો લાયસન્સ માટે સવારના 9.30થી સાંજના 7 વાગ્યા સુધી જ ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકશે. જ્યારે અગાઉ આ સમય સવારના 6.30થી રાત્રિના 10 સુધીનો હતો. તેમજ આ નવા સમયપત્રકનો 13મી માર્ચથી અમલ શરૂ થઈ ગયો છે.

જેમાં મળતી માહિતી મુજબ, પાકા લાયસન્સના ડ્રાઇવિંગ ટેસ્ટ માટે હવે સુભાષબ્રિજ અને વસ્ત્રાલ આરટીઓ કચેરીમાં નવા સમયપત્રક મુજબ સવારે 9.30 વાગ્યાથી ડ્રાઈવિંગ ટેસ્ટની કામગીરી શરૂ થશે. જેમાં બપોરે 2. 30 થી 3 સુધી રિશેષ રહેશે. જ્યારે બપોરે 3 વાગ્યે બાદ સાંજના 7 વાગ્યા સુધી કામગીરી ચાલશે. આ સાથે હવે સ્લોટમાં ઘટાડો કરાયો છે. જોકે, તેની સામે ડ્રાઈવિંગ ટેસ્ટ માટે આવતા લોકોને સરળતા રહે તે માટે એપોઈન્ટમેન્ટની સંખ્યા વધારવામાં આવી છે. જેમાં ટુ વ્હીલરની 30 અને ફોર વ્હીલર માટે 20 એપોઇન્ટમેન્ટ કરાઇ છે.

રાતના સમયે ટેસ્ટ આપવા આવનાર લોકોની સંખ્યા ઓછી અથવા નહિવત જેવી

આ અંગે જણાવતા, RTO આર.એસ.દેસાઈએ જણાવ્યું હતું કે, દોઢ વર્ષ અગાઉ ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા લોકોએ વેટિંગમાં રહેવું પડતું હતું જેને લઈને લોકો માટે સમયમાં વધારો કરવામાં આવ્યો હતો. પરંતુ વહેલી સવારના તથા રાતના સમયે ટેસ્ટ આપવા આવનાર લોકોની સંખ્યા ઓછી અથવા નહિવત જેવી હતી જેથી સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

700  અરજીમાં કાર્યવાહી કરીને તેઓના લાયસન્સ રદ્દ કરી દેવાયા

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં દિવસે દિવસે વસ્તી અને વિસ્તાર વધી રહ્યો છે. સાથે જ હરીફાઈ પણ વધી રહી છે. જેની વચ્ચે લોકો કેટલાક નિયમોને ભૂલી રહ્યા છે. જે નિયમનું પાલન નહીં થતા પોતાની સાથે અન્યના જીવ જોખમમાં મુકતા હોય છે. આવી જ રીતે ટ્રાફિક નિયમનું પાલન નહિ કરનાર અને ટ્રાફિકના ગુના કરનાર સામે ટ્રાફિક વિભાગે કડક પગલાં ભરવાનું શરૂ કર્યું છે. જેમાં છેલ્લા બે વર્ષમાં ટ્રાફિક વિભાગ દ્વારા RTO કચેરી ખાતે 850 ઉપર અરજી લાયસન્સ રદ કરવા માટે મોકલી આપી છે. જે 800 ઉપર અરજી પૈકી 700 ઉપર અરજીમાં કાર્યવાહી કરીને તેઓના લાયસન્સ રદ્દ કરી દેવાયા છે.

આ પણ વાંચો : Breaking News: આગામી 3 કલાકમાં પવન સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી, અમદાવાદ, કચ્છ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, છોટા ઉદેપુર સહિત અન્ય જિલ્લાઓમાં પણ કમોસમી વરસાદની વકી

 

Next Article