એક તરફ વરસાદને લઈને અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગે માથું ઊંચક્યું છે. ત્યાં બીજી તરફ શહેરના ગોતા વિસ્તારમાં આવેલ ગોદરેજ ગાર્ડન સીટી પાસેના રહીશો ગટરોમાંથી ઉભરાતા પાણી અને તેનાથી ફેલાતા રોગચાળાથી પરેશાન છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે 4 મહિનાથી આ જ સમસ્યાથી પરેશાની છે. અનેક ફરિયાદ છતાં પણ કોર્પોરેશન કોઈ કામગીરી નથી કરી રહ્યું. સ્થાનિકના આક્ષેપ […]
Follow us on
એક તરફ વરસાદને લઈને અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગે માથું ઊંચક્યું છે. ત્યાં બીજી તરફ શહેરના ગોતા વિસ્તારમાં આવેલ ગોદરેજ ગાર્ડન સીટી પાસેના રહીશો ગટરોમાંથી ઉભરાતા પાણી અને તેનાથી ફેલાતા રોગચાળાથી પરેશાન છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે 4 મહિનાથી આ જ સમસ્યાથી પરેશાની છે. અનેક ફરિયાદ છતાં પણ કોર્પોરેશન કોઈ કામગીરી નથી કરી રહ્યું. સ્થાનિકના આક્ષેપ છે કે ગંદા ગટરોના પાણીથી તેમના વિસ્તારમાં મલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગ ફેલાયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ગટરોના પાણી કારણે ખેતરો બેટમા ફેરવાઈ ગયા છે, જયા મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળો ફાટ્યો છે. જેની સ્થાનિકોએ કોર્પોરેટર સાથે કોર્પોરેશનમાં પણ ફરિયાદ કરી છે. જોકે તેમની સમસ્યાનો કોઈ નીવેડો નથી આવી રહ્યાનો પણ સ્થાનિકોનો આક્ષેપ છે. ગણેશ ગોલ્ડન ગણેશ પરિસર, ગણેશ સ્કાય લાઈન તેમન નિર્માણ લાઈફ સ્ટાઇલ સહિત આસપાસના રહીશો પરેશાન છે.
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો
કોર્પોરેશન દ્વારા દર વર્ષે ચોમાસું બેસતા પહેલા પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી કરવામાં આવતી હોય છે. જેમાં ખરાબ રસ્તા અને તૂટેલા ગટરોના ઢાંકણાઓ રીપેર કરવા સાથે જ ડ્રેનેજ લાઈન, સ્ટોર્મ વોટર લાઈન અને ગટરોની લાઈનોનું જોડાણ કરવામાં આવતું હોય છે. જેથી વરસાદી પાણીનો નિકાલ લાવી શકાય તેમજ ગટરોમાંથી ઉભરાતા ગંદા પાણી નીકળતા પણ રોકી શકાય.
જોકે ગોતા ગોદરેજ ગાર્ડન પાસે રહેતા અને સમસ્યાઓનો સામનો કરતા સ્થાનિકોનો આક્ષેપ છે કે ખુદ કોપોરેશન તેમના વિસ્તારમાં ગટરોના પાણી છોડી રહ્યું છે. જેના કારણે તેમના વિસ્તારમાં ગંદકી અને રોગચાળો ફાટી નીકળ્યો છે. દવાનો પણ છંટકાવ નહિ કરાઈ રહ્યો હોવાથી રોગચાળાએ વધુ માથુ ઉંચક્યાના આક્ષેપો પણ સ્થાનિકોએ કર્યા છે.
કોર્પોરેશનના જવાબદાર અધિકારીએ આ અંગે ડ્રેનેજ લાઈનની કામગીરી ચાલુ હોવાનું જણાવીને ચોમાસું પૂર્ણ થતાં લાઈનનું જોડાણ કરી સ્થાનિકોની સમસ્યા દૂર કરવાની ખાતરી પણ અધિકારીએ આપી છે. શહેરમાં ગટરોના પાણી ઉભરાવવા અને રોગચાળો ફાટી નિકળવો એ કોઈ નવી બાબત નથી. પણ અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આવી જ પરિસ્થિતિ જોવા મળતી હોય છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ બધા વિસ્તારો કોર્પોરેશનના પ્રી મોન્સૂન પ્લાન અને ચોમાસા દરમિયાનની કામગીરીની પોલ ખુલી પાડી દે છે. ત્યારે સવાલ છે કે આટ આટલી સમસ્યા બાદ કોર્પોરેશન કેવી કામગીરી કરે છે. જેથી શહેરીજનોને પડી રહેલી સમસ્યા દૂર કરી શકાય. આગામી વર્ષે ચાલુ વર્ષની સમસ્યાઓ માંથી શીખ લઈને પ્રી મોન્સૂન પ્લાનમાં કેવા સુધારા કરે છે. જેથી આગામી વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ ન સર્જાય. જો યોગ્ય પગલાં નહીં લેવાય તો આવનારા વર્ષોમાં પણ લોકોને આ મુશ્કેલીનો સામનો કરવો પડશે.