Breaking News : દુષ્કર્મ કેસમાં આસારામને ગુજરાત હાઇકોર્ટ તરફથી મોટી રાહત, આટલા મહિનાના જામીનની મળી મંજૂરી

|

Mar 28, 2025 | 7:11 PM

ગુજરાત હાઈકોર્ટે દુષ્કર્મના કેસમાં આસારામને ત્રણ મહિનાના અંતરીમ જામીન મંજૂર કર્યા છે. મેડિકલ ગ્રાઉન્ડ પર આ જામીન મંજૂર કરવામાં આવ્યા છે. જજોના વિરોધી મંતવ્યો બાદ ચીફ જસ્ટિસ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.

દુષ્કર્મ કેસમાં ગુમાવાયેલ આશા વચ્ચે, ગુરુવારના દિવસે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આસારામને મોટી રાહત મળી છે. મેડિકલ કારણોસર આસારામને ત્રણ મહિનાના હંગામી જામીન મંજૂર કરવામાં આવ્યા છે. આ કેસની સુનાવણી 25 માર્ચ, 2025ના રોજ થઈ હતી.

છ મહિનાના કાયમી જામીનની માગણી

આસારામે કોર્ટ સમક્ષ છ મહિનાના કાયમી જામીનની અરજી કરી હતી. તેમની વચગાળાની જામીન મુદત 31 માર્ચે પૂર્ણ થઈ રહી હતી, જે અગાઉ પણ મેડિકલ ગ્રાઉન્ડ પર જ મંજૂર કરવામાં આવ્યા હતા.

જુદી જુદી મંતવ્યોના કારણે અંતિમ નિર્ણયમાં વિલંબ

જામીન અંગે બે જજોના મંતવ્ય અલગ અલગ રહ્યા હતા. જજ ઇલેશ વોરાએ ત્રણ મહિનાના હંગામી જામીન આપવા સમર્થન આપ્યું હતું, જ્યારે જજ સંદીપ ભટ્ટએ તેનો વિરોધ કર્યો હતો. આ વિખૂટા મંતવ્યોને કારણે ખંડિત ચુકાદો આવ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 05-04-2025
જાડી કે પાતળી, કઈ રોટલી ખાવી શરીર માટે વધુ ફાયદાકારક છે?
Jioના 365 દિવસના બે સસ્તા પ્લાન ! જાણો કિંમત અને લાભ
કેટલો સમય ભૂખ્યા રહ્યા પછી શરીરની ચરબી બર્ન થાય છે?
એક ફોન કોલે બદલ્યું નસીબ, આજે શાહરૂખ ખાન આપે છે કરોડો રૂપિયા
સેકન્ડ હેન્ડ AC ખરીદવું જોઈએ કે નહીં? આટલું જાણી લેજો

ચીફ જસ્ટિસ સમક્ષ રજૂઆત

વિષયની ગંભીરતા અને જુદી જુદી ન્યાયિક દ્રષ્ટિએ અંતે ચીફ જસ્ટિસ બીરેન વૈષ્ણવ સમક્ષ આસારામના વકીલે અરજી રજૂ કરી હતી. ત્યારબાદ જજ એ.એસ. સુપેહિયાને આ કેસ રિફર કરવામાં આવ્યો હતો. બપોર બાદ જજ સુપેહિયાની કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી, જ્યાં આખરે આસારામને ત્રણ મહિનાના જામીનની મંજૂરી અપાઈ હતી.

Next Article