Ahmedabad plane crash : અમદાવાદ વિમાન દુર્ઘટનાના પુરાવા જાહેર કરવામાં આવશે નહીં, જાણો કેમ?

અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાનો મામલો AAIBનું સુપ્રિમ કોર્ટમાં સોગંદનામું, AAIBએ કહ્યું વિમાન દુર્ઘટનાના પુરાવાઓને જાહેર કરી શકાય નહીં. AAIB એ સુપ્રીમ કોર્ટને એ પણ જણાવ્યું હતું કે અંતિમ ડ્રાફ્ટ રિપોર્ટ ઓક્ટોબર 2026 સુધીમાં તૈયાર થઈ જશે.

Ahmedabad plane crash :  અમદાવાદ વિમાન દુર્ઘટનાના પુરાવા જાહેર કરવામાં આવશે નહીં, જાણો કેમ?
Image Credit source: AI
| Updated on: Jul 15, 2026 | 1:11 PM

સિવિલ એવિએશન એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાંથી કોકપીટ વોઇસ રેકોર્ડિંગ (CVR) અને અન્ય સંવેદનશીલ માહિતી જાહેર કરી શકાતી નથી. ભારતીય કાયદાઓનો ઉલ્લેખ કરતા, AAIB એ એક સોગંદનામામાં જણાવ્યું હતું કે નિષ્પક્ષ તપાસ સુનિશ્ચિત કરવા માટે આ માહિતી ગુપ્ત રાખવી જરૂરી છે.

AAIB એ આ સોગંદનામું દાખલ કર્યું

સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે, ફ્લાઇટ ફૂટેજ, ક્રૂ સભ્યોના નિવેદનો, ઓપરેશન સંબંધિત વાતચીત અને પીડિતોની વ્યક્તિગત માહિતી ગુપ્ત રાખવી જરૂરી છે. બ્યુરોએ જણાવ્યું હતું કે ,આ કાનૂની પ્રતિબંધો નિષ્પક્ષ અને પારદર્શક તપાસ સુનિશ્ચિત કરવા માટે લાગુ કરવામાં આવ્યા છે. મૃતક પાઇલટના પિતા પુષ્કર રાજ સભરવાલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના જવાબમાં AAIB એ આ સોગંદનામું દાખલ કર્યું હતું.

આર્ટિકલ 26માં શું છે જરુરી વાતો ?

આર્ટિકલ 26 એ દેશ જ્યાં દુર્ઘટના થાય છે. અકસ્માતના સંજોગોની તપાસ શરૂ કરવાની ફરજ પાડે છે. તેમજ 13 અને એરક્રાફ્ટ (દુર્ઘટનાઓ અને ઘટનાઓની તપાસ) નિયમ 2025 હેઠળ સ્ટેટ ઓફ રજિસ્ટ્રી, સ્ટેટ ઓફ ઓપરેટર, સ્ટેટ ઓફ ડિઝાઈન અને સ્ટેટ ઓફ મૈન્યુફૈક્ચરની પાર્ટનરશીપ માટે સ્પષ્ટ જોગવાઈ છે. તે બધાએ માન્યતા પ્રાપ્ત પ્રતિનિધિઓ અને તકનીકી ભાગીદારી દ્વારા નિરીક્ષણ પ્રક્રિયામાં અધિકારો અને જવાબદારીઓ વ્યાખ્યાયિત કરી છે.

AAIBએ સોંગદનામામાં કહ્યું આ પ્રકારની તપાસ માત્ર મ્યુનિસિપલ સ્તરની કાર્યવાહી સુધી સીમિત નથી પરંતુ આ આંતરરાષ્ટ્રીય સ્તર પર તૈયાર કરાયેલા સંધિ હેઠળ થનારી તપાસનું રુપ લે છે. આ તે દેશ દ્વારા તૈયાર કરવામાં આવે છે. જ્યાં ઘટના બની હોય તેમજ તેનાથી તે તમામ સંબંધિત દેશ સામેલ હોય છે. જેનો વિમાન,ઓપરેટર,ડિઝાઈ કે નિર્માણ સાથે કાનુની રુપથી માન્યતા પ્રાપ્ત સંબંધ હોય.

અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના

12 જૂન, 2025 ના રોજ, અમદાવાદ એરપોર્ટ નજીક મેઘાણી વિસ્તારમાં એર ઇન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું. વિમાન લંડન જઈ રહ્યું હતું અને ટેકઓફ કર્યાના માત્ર 2 જ મિનિટ પછી ક્રેશ થયું હતું. તેમાં બે પાઇલટ અને 10 ક્રૂ સભ્યો સહિત કુલ 242 મુસાફરો હતા. આ દુર્ઘટનામાં કુલ 260 લોકોના મોત થયા હતા. ટેકઓફ કર્યા પછી, વિમાન લગભગ 600 ફૂટની ઊંચાઈએ પહોંચ્યું અને પછી અચાનક નીચે પડવા લાગ્યું. થોડીવારમાં, વિમાન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું અને તેમાં આગ લાગી ગઈ. વિમાન બી.જે. મેડિકલ કોલેજના હોસ્ટેલમાં અથડાયું હતુ. મોટો બ્લાસ્ટ થયો હતો.

12 જૂન, 2025 ના રોજ, અમદાવાદ એરપોર્ટ નજીક મેઘાણી વિસ્તારમાં એર ઇન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું. વિમાન લંડન જઈ રહ્યું હતું અને ક્રેશ થયું. અહી ક્લિક કરો

Follow Us