અમદાવાદ (Ahmedabad) કોર્પોરેશને કોરોના (Corona) રસીકરણને(Vaccination)ઝડપી બનાવવા એક્શનમાં આવી છે. જેમાં છેલ્લા 10 દિવસમાં 150 ટીમે 30 હજારથી વધુ ઘરનો સર્વે કર્યો છે. અમદાવાદ કોર્પોરેશનની(AMC) ટીમ ડોર ટૂ ડોર સરવે કરી રહી રહી છે જેમાં જે ઘરમાં રસી લેવામાં ન આવી હોય તેના ઘરની બહાર ચોકડીનું માર્કિંગ કરવામાં આવી રહ્યું છે.
તો બીજી તરફ જે ઘરમાં રસી લીધી હોય તેના ઘરની બહાર P લખવામાં આવી રહ્યું છે.. સરવે કર્યા બાદ કોર્પોરેશનની ટીમ સોસાયટીમાં રસીકરણ માટે જશે. અહીં ઉલ્લેખનીય છે કે, બીઆરટી બસ અને AMTS બસ તથા શહેરના કોમર્શિયલ કોમ્પલેક્ષોમાં પણ રેડન્મ ચેકિંગ કરશે અને રસી ન લીધી હોય તેને રસી આપવામાં આવશે.
અમદાવાદ (Ahmedabad) મહાનગરપાલિકાએ કોરોનાની (Corona) ત્રીજી લહેરને(Third Wave) રોકવા માટે કવાયત હાથ ધરી છે. જેમાં શહેરમાં 21 દિવસમાં કોરોનાના 187 કેસ નોંધાયા છે. તેમજ અમદાવાદ શહેરના પ્રથમ ડોઝના કોરોના વેકસીનેશનનો 100 ટકા લક્ષ્યાંક પૂર્ણ થઇ ચૂકયો છે. જયારે બે ડોઝ લીધેલા લોકોની સંખ્યા 55 ટકા જ છે.
જેના પગલે મહાનગરપાલિકા બીજો ડોઝ લેનારા લોકો માટે ડોર ટુ ડોર વેકસીનેશનની શરૂઆત કરી છે. તેમજ રજીસ્ટટ કરેલા લોકોને આરોગ્ય વર્કર દ્વારા ઘરે જ વેક્સિન આપવામાં આવી રહી છે. આ ઉપરાંત કોવિન એપ રજીસ્ટર મોબાઈલ નંબર પરથી બીજો ડોઝ બાકી હોય તેવા લોકોનો સંપર્ક પણ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો : અમદાવાદ : નળ સરોવર ખાતે વિદેશી પક્ષીઓ અને સહેલાણીઓનો જમાવડો
આ પણ વાંચો : Surat: મહાનગરપાલિકાની કડકાઈની અસર દેખાઈ, લોકો વેક્સિન લેવા સામે ચાલીને વેક્સીન સેન્ટર પર જઈ રહ્યા છે
Published On - 4:28 pm, Tue, 23 November 21