Ahmedabd: પ્રિ-મોન્સૂન કામગીરીનાં નામે કોર્પોરેશનનાં કર્મચારીઓએ કરેલી મહેનતની પહેલા વરસાદે પોલ ખોલી નાખી
Ahmedabd : સ્માર્ટસિટી કહેવાતા અમદાવાદના અનેક વિસ્તાર એવા છે, જેના વિકાસની પોલ ચોમાસામાં ખુલી જાય છે. બુધવારે સાંજે અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસતા અમુક વિસ્તારમાં પ્રિ-મોન્સૂન કામગીરીની ( pre monsoon activity) પોલ ખુલી ગઈ હતી.
Ahmedabd : સ્માર્ટસિટી કહેવાતા અમદાવાદના અનેક વિસ્તાર એવા છે, જેના વિકાસની પોલ ચોમાસામાં ખુલી જાય છે. બુધવારે સાંજે અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસતા અમુક વિસ્તારમાં પ્રિ-મોન્સૂન કામગીરીની ( pre monsoon activity) પોલ ખુલી ગઈ હતી.
અમદાવાદમાં પહેલા વરસાદમાં જ ચાંદલોડિયાથી (Chandlodia) શાયોના સિટીને જોડતા ગરનાળામાં પાણી ભરાયા હતા. સામાન્ય વરસાદથી જ પાણી ભરાઈ ગયું હતું. તો ધોધમાર વરસાદ આવે તો સ્થિતિ શું થાય તે વિચારી શકાય નહીં. આ સમસ્યા આજકાલની નથી પણ 20 વર્ષ જૂની છે.તેમ છતાં કોર્પોરેશનના અત્યાર સુધીના સત્તાધીશો આ સમસ્યાનો ઉકેલ લાવી શક્યા નથી, આ ગરનાળામાંથી કોર્પોરેશનની ટીમ દ્વારા મોટર લગાવીને પાણી બહાર કાઢવામાં આવ્યું હતું.
ગરનાળામાંથી પાણી ભરાવવાને કારણે લોકોને 6થી 7 કિલોમીટર વધારે ફરીને જવું પડે છે. ત્યારે સવાલ એ છે કે કોર્પોરેશનના સત્તાધીશો કુંભકર્ણની નિંદ્રામાંથી ક્યારે જાગશે? અને શહેરના જુદા-જુદા વિસ્તારોની આવી સમસ્યાઓનો ક્યારે ઉકેલ લાવશે?
આ સાથે જ રહીશો સવાલ કરી રહ્યા છે કે, દર વર્ષની સમસ્યા હોવા છતાં તેનો કાયમી ઉકેલ કેમ નથી લવાતો?, સ્માર્ટસિટીના લોકોને પાણી ભરાવાની સમસ્યાથી ક્યારે મુક્તિ મળશે? કોર્પોરેશન આવી સમસ્યાઓનો ઉકેલ લાવવામાં કેમ નિરસ છે? AMCના સત્તાધીશો લોકોની મુશ્કેલીઓ ઓછી કરવા પર ક્યારે ધ્યાન આપશે?
MP મનસુખ વસાવાએ MLA ચૈતર વસાવા માટે કર્યો અશિષ્ટ ભાષાનો ઉપયોગ - Video
ધર્મની દીવાલ ધરાશાયી! સુરતમાં પ્રેમે લખ્યો નવો ઈતિહાસ, જુઓ Video
ભવન પોલીસ સ્ટેશનમાં હાજરી બાદ કીર્તિ પટેલ થઈ મુક્ત
સાણંદમાં માઇક્રોન ટેક્નોલોજીના ATMP પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે PM મોદી