Ahmedabad : બાવળાની રાઈસ મીલમાં મોટી દુર્ઘટના, શેડ પડતા ત્રણ શ્રમિકોના મોત

|

May 24, 2022 | 12:05 PM

બાવળા-ધોળકા રોડ પર આવેલી ગીરધારી રાઈસ મીલમાં શેડ પડતા ત્રણ શ્રમિકોના (Labour) મોત નિપજ્યા છે.

Ahmedabad : બાવળાની રાઈસ મીલમાં મોટી દુર્ઘટના, શેડ પડતા ત્રણ શ્રમિકોના મોત
Bavla Rice Mill (File Photo)

Follow us on

Ahmedabad : બાવળા-ધોળકા રોડ પર આવેલી ગીરધારી રાઈસ મીલમાં મોટી દુર્ઘટના(Bavla Tragedy)  ઘટી હોવાના સમચાર મળી રહ્યા છે.શેડ પડતા ત્રણ શ્રમિકોના (Labour) ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે.મળતી માહિતી મુજબ લોખંડનો શેડ બનાવતા સમયે આ દુર્ઘટના સર્જાઈ. શેડ ધરાશાયી થવાના કારણે અન્ય ત્રણ શ્રમિકો ઈજાગ્રસ્ત પણ થયા છે.જેને સારવાર અર્થ હાલ બાવળાની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.તમને જણાવી દઈએ કે, બાવળા પોલીસે (Bavla Police) ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

જુઓ વીડિયો

તમને જણાવી દઈએ કે, મીલનો શેડ ધરાશાયી થતા લોખંડની ઇંગલો નીચે 7 મજુરો આવી ગયા હતાં. ઘટનાની જાણ થતા જ આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા.
એગલો ઉંચી કરીને તમામને બહાર કાઢવામાં આવ્યા હતાં.જો કે માથાના ભાગે ઈજા થતા 3 શ્રમિકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઈજાગ્રસ્તોની હાલ નજીકની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે.

 

Published On - 7:07 am, Tue, 24 May 22

Next Article