અમદાવાદ(Ahmedabad) માં સરખેજ રોડ ગુલઝાર પાર્ક પાસે જમાલપુરથી સરખેજ જતી ચાલુ રેનોલ્ટ ગાડીમાં અચાનક આગ (Fire) લાગી હતી. જો કે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી. જેમાં ગુલઝાર પાર્ક ગેટ નંબર એક પાસે કારમાં આગ લાગી હતી. જો કે આ ગાડીમાં પતિ પત્ની અને બે બાળકો સવાર હતા સમય સુચકતા વાપરીને તેઓ ગાડી ઉભી રાખીને ઉતરી જતા તેમનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યું હતું તેમજ આગ પણ કાબૂ મેળવ્યો હતો. આ કારમાં આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.
આ પણ વાંચો : કચ્છમાં સતત બીજા દિવસે લગ્નમા ફાયરીંગની ઘટના, કાયદો વ્યવસ્થાની સ્થિતી સામે અનેક સવાલો થયા ઉભા
આ પણ વાંચો : ભારતીય પત્રકાર દાનિશ સિદ્દીકીની હત્યા મામલે તાલિબાન અને અમેરિકાએ વ્યક્ત કર્યું દુઃખ
Published On - 10:01 pm, Sat, 17 July 21