
અમદાવાદની પ્લેન ક્રેશ દુર્ઘટના અંગે બરાબર એક મહિના બાદ ઍરક્રાફ્ટ એક્સીડેન્ટ ઈન્વેસ્ટીગેશન બ્યૂરોએ 15 પન્નાનો રિપોર્ટ રજૂ કર્યો છે. જેમાં પ્રાથમિક તપાસમાં એવુ તારણ સામે આવ્યુ છે કે પ્લેનના બંને એન્જિન બંધ હોવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. દુર્ઘટનાગ્રસ્ત પ્લેનનમાં બંને એન્જિનની ફ્યૂલ સ્વિચ બંધ હતી. જે બાદ પાયલોટના ધ્યાને આવતા તેને ચાલુ કરી અને બંને એન્જિનને ફરી શરૂ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ વિમાન બહુ ઓછી ઉંચાઈ પર હતુ, તેના જ કારણે એન્જિનોને ફરી ફ્યુલ મેળવવાનો સમય ન મળ્યો અને પ્લેન ક્રેશ થઈ ગયુ. હવે ઍર ઈન્ડિયાની આ પ્લેન દુર્ઘટનાને લઈને AAIB જે 15 પન્નાનો રિપોર્ટ આપ્યો છે. તેમા પ્લેન ક્રેશ થવાનું કારણ ફ્યૂલ કટ થવાથી એન્જિન બંધ થવાનુ બતાવ્યુ છે. રિપોર્ટના અનુસાર ટેકઓફ ના તુરંત બાદ એક-એક કરીને બંને ફ્યૂલ સ્વિચ બંધ થઈ ગઈ. આ જ કારણે બંને એન્જિન પણ બંધ થઈ ગયા. પાયલોટે એન્જિનને રિકવર કરવાની ઘણી કોશિશ કરી અને એક એન્જિન શરૂ પણ થયુ પરંતુ બીજુ એન્જિને કામ...
Published On - 4:03 am, Sun, 13 July 25