
ભગવાન જગન્નાથજીની 148મીં રથયાત્રા નીકળવાની છે. જગતના નાથ તેમના ભક્તોને દર્શન દેવા માટે નગરચર્યાએ નીકળવાના છે, ત્યારે વ્હાલાના વધામણા કરવા માટે તમામ નગરજનોનો ઉત્સાહ ક્યાંય સમાતો નથી. તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. ત્યારે અહીં કયા રસ્તાથી જગતનો નાથ નગરચર્યાએ નીકળશે તેણી સંપૂર્ણ વિગત અહીં આપવામાં આવી છે.
જો તમે રોજિંદા BRTS દ્વારા મુસાફરી કરો છો, તો તમારા મુસાફરના સમય અને રૂટમાં આવતા ફેરફારને ધ્યાનમાં રાખવો જરૂરી છે. નીચે આપેલા રીવિઝડ રૂટ અનુસાર મુસાફરીની યોજના બનાવશો તો અસુવિધાથી બચી શકો છો.
રૂટ નં. 01: મણિનગરથી ઘુમા ગામ
રૂટ નં. 03: આરટીઓ સર્કલથી મણિનગર
રૂટ નં. 04: એલડી એન્જિનિયરિંગ કોલેજથી ઝુંડાલ સર્કલ / અંબા ટાઉનશીપ
રૂટ નં. 05: વાસણાથી હંસપુરા રીંગ રોડ
રૂટ નં. 06: નારોલથી નરોડા એસટી વર્કશોપ
રૂટ નં. 07: નારોલથી સારંગપુર દરવાજા અને ઝુંડાલ સર્કલથી સરકારી લિથો પ્રેસ (કેબિન)
રૂટ નં. 12: આરટીઓ સર્કલથી રબારી કોલોની
રૂટ નં. 14: સાણંદ સર્કલથી સારંગપુર દરવાજા
રૂટ નં. 15: ઇસ્કોન ક્રોસરોડ્સથી આરટીઓ સર્કલ / એરપોર્ટ
રૂટ નં. 16: સાણંદ સર્કલથી નહેરુનગર
રૂટ નં. 17: સાઉથ બોપલ ટર્મિનસથી નહેરુનગર
રૂટ નં. 02: SP રીંગ રોડથી ઇસ્કોન ક્રોસરોડ્સ સુધી ન જઈને, ઇસ્કોન ક્રોસરોડ્સથી લો ગાર્ડન સુધી સેવા આપશે.
રૂટ નં. 08: ભાડજ સર્કલથી નરોડા ગામની બદલે, હવે ભાડજ સર્કલથી સરકારી લિથો પ્રેસ (કેબિન) સુધી બસ ચલાવાશે.
રૂટ નં. 09: મણિનગરથી ગોતા વસંતનગર ટાઉનશીપ જવાને બદલે હવે બસ ગોતા વસંતનગર ટાઉનશીપથી એલડી એન્જિનિયરિંગ કોલેજ સુધી ચાલશે.
રૂટ નં. 11: ઓઢવ SP રીંગ રોડથી એલડી એન્જિનિયરિંગ કોલેજ ન જઈને હવે બસ ઓઢવ SP રીંગ રોડથી આસ્ટોડિયા દરવાજા સુધી સેવા આપશે.
ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો