કોરોનાના કારણે સૌથી વધુ મૃત્યુઆંક નોંધાઈ રહ્યા છે અમદાવાદમાં, છેલ્લા 5 દિવસમાં કોરોનાથી 19ના મોત

|

Jan 21, 2022 | 9:02 AM

અમદાવાદમાં કોરોનાના સતત વધતા કેસ અને મોતના આંકડાને લઈને તંત્ર એલર્ટ મોડમાં આવી ગયુ છે. શહેરમાં કોરોના વિસ્ફોટ વચ્ચે દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં કેસ સૌથી વધતા જોવા મળી રહ્યા છે. તંત્ર દ્વારા પણ ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને રસીકરણની પ્રક્રિયા ઝડપી બનાવવા કામગીરી શરૂ કરાઈ છે.

કોરોનાના કારણે સૌથી વધુ મૃત્યુઆંક નોંધાઈ રહ્યા છે અમદાવાદમાં, છેલ્લા 5 દિવસમાં કોરોનાથી 19ના મોત
corona (Symbolic Image)

Follow us on

ગુજરાતમાં રોજ કોરોના કેસ નોંધાઈ રહ્યા છે તેમાં સૌથી વધુ કોરોનાના કેસ (Corona case) અમદાવાદ (Ahmedabad)માં નોંધાઈ રહ્યા છે. કોરોનાથી મૃત્યુ (Corona death) પામનાર લોકોના આંકડા પણ સૌથી વધુ અમદાવાદમાં જ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 5 દિવસમાં અમદાવાદમાં કોરોનાથી 19 લોકોના મોત થયા છે. અમદાવાદમાં કોરોનાનું સંકટ વધુને વધુ ઘેરાતુ જઈ રહ્યુ છે.

રાજ્યમાં મૃત્યુ પામનારાઓની સંખ્યામાં અમદાવાદમાં સૌથી વધુ મૃત્યુના આંકડા નોંધાઈ રહ્યા છે. છેલ્લા પાંચ દિવસના કોરોનાથી મોત થયાના આંકડા પર નજર કરીએ તો અમદાવાદમાં 20 જાન્યુઆરીએ કોરોનાના સૌથી વધુ 9,837 કેસ નોંધાયા છે તો 7 લોકો મૃત્યુ પામ્યા છે. 19 જાન્યુઆરીએ કોરોનાના 8,391 નવા કેસ નોંધાયા અને 6ના મોત થયા છે. 18 જાન્યુઆરીએ 5, 998 નવા કેસ તો 3ના મોતના આંકડા નોંધાયા હતા તો 17 જાન્યુઆરીએ 4,340 નવા કેસ નોંધાયા અને 1નું મોત નિપજ્યું હતુ. 16 જાન્યુઆરીમાં 3,264 કેસ તો 2ના મોત નોંધાયા છે.

અમદાવાદમાં કોરોનાના સતત વધતા કેસ અને મોતના આંકડાને લઇને તંત્ર એલર્ટ મોડમાં આવી ગયુ છે. શહેરમાં કોરોના વિસ્ફોટ વચ્ચે દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં કેસ સૌથી વધતા જોવા મળી રહ્યા છે. તંત્ર દ્વારા પણ ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને રસીકરણની પ્રક્રિયા ઝડપી બનાવવા કામગીરી શરૂ કરાઈ છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

અમદાવાદમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યામાં ફરી વધારો નોંધાયો છે. શહેરમાં નવા 41 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા છે. તો 14 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરાયા છે. 265 ઘરોના 1030 લોકોને માઈક્રો કન્ટેઇનમેઇન્ટ ઝોનમાં મુકાયા છે.

મહત્વનું છે કે રાજ્યમાં કોરોનાના સતત વધતા કેસોને લઇને હવે AMC દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે. હવે અમદાવાદ શહેરમાં રાત્રે 10 વાગ્યા સુધી કોરોના ટેસ્ટ થશે. લોકો રાત્રે 10 વાગ્યા સુધીમાં AMCના સામુહિક આરોગ્ય કેન્દ્રો પર જઇને ટેસ્ટિંગ કરાવી શકે તે માટે ડોમ પર નજીકના CHC સેન્ટરોની માહિતી મુકવામાં આવશે. ડોમમાં કિટ નહીં હોય તો CHC પર જઈ લક્ષણો ધરાવતા વ્યક્તિ ટેસ્ટિંગ કરાવી શકાશે. આ સાથે ટેસ્ટિંગ કિટ ખૂટવાની ફરિયાદો સામે આવી રહી છે ત્યારે ટેસ્ટિંગ કિટ વધારી આપવા સહિતની સૂચનાઓ AMCની સ્ટેન્ડિગ કમિટીની બેઠકમાં આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ PM મોદી સોમનાથ મંદિર પાસે બનેલા સર્કિટ હાઉસનું આજે કરશે વર્ચ્યુઅલી ઉદ્ઘાટન, ઘણી સુવિધાઓથી છે સજ્જ

આ પણ વાંચોઃ ખોડલધામ કાગવડના પંચવર્ષીય પાટોત્સવની વર્ચ્યુઅલી ઉજવણી, 10 હજારથી વધુ LED સ્ક્રીન પર જીવંત પ્રસારણ થશે

Next Article