AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: સરકારે TAT આધારિત ભરતી નિયમોમાં કર્યો સુધારો, M.A. M.com, M.Sc. નહીં થયેલા B.Ed. ઉમેદવારો પણ TATની ભરતી માટે માન્ય ગણાશે

Ahmedabad: ગુજરાત સરકારે TAT આધારિત ભરતી નિયમોમાં સુધારો કર્યો છે. જે મુજબ ધોરણ 9થી 12ના શિક્ષક માટે લેવાતી TATની પરીક્ષામાં હવેથી ઈન્ટીગ્રેટેડ B.Ed. પાસ ઉમેદવાર માન્ય ગણાશે. માત્ર ઈન્ટિગ્રેડેટ લર્નિંગ કોર્સ આધારિત ટીચર્સ યુનિવર્સિટીને આ સુધારાથી મોટો ફાયદો થશે.

Ahmedabad: સરકારે TAT આધારિત ભરતી નિયમોમાં કર્યો સુધારો, M.A. M.com, M.Sc. નહીં થયેલા B.Ed. ઉમેદવારો પણ TATની ભરતી માટે માન્ય ગણાશે
TV9 Gujarati
| Edited By: | Updated on: May 18, 2023 | 9:01 PM
Share

રાજ્ય સરકારે TAT આધારિત ભરતી નિયમોમાં સુધારો કર્યો છે. જેમા સ્નાતક થયેલ અને ઈન્ટીગ્રેડેટ લર્નિંગ કોર્સ કરેલા ઉમેદવારો માટે ધોરણ 9, 10માં અને અનુસ્નાતક થયેલા તેમજ ઈન્ટીગ્રેટેડ લર્નિંગ કોર્સ કરેલા તમામ ઉમેદવારો ધોરણ 9થી 12  માટે  TATની પરીક્ષા માટે માન્ય ગણાશે. સરકારે ટાટ આધારિત ભરતી નિયમોમાં કર્યો સુધારો, સ્નાતક થયેલા અને ઈન્ટીગ્રેડેટ લર્નિંગ કોર્સ કરેલા ઉમેદવારો માટે ધોરણ 9, 10માં અનુ સ્નાતક થયેલા અને ઈન્ટીગ્રેડેટ કોર્સ કરેલા ઉમેદવારો ધોરણ 11, 12 માટેની TATની પરીક્ષા આપી શકશે. રાજ્ય સરકારે TAT આધારિત ભરતી નિયમોમાં જે સુધારો કર્યો છે તે મુજબ રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી માટેની લાયકાતની જોગવાઈમાં મહત્વપૂર્ણ સુધારો કર્યો છે.

ધોરણ 9થી 12 ના શિક્ષક માટે ઈન્ટીગ્રેટેડ B.Ed. પાસ ઉમેદવારો માન્ય ગણાશે

આ સુધારા મુજબ હવે ધોરણ 9થી 12 ના શિક્ષક માટે ઈન્ટીગ્રેટેડ B.Ed. પાસ ઉમેદવારો માન્ય ગણાશે. રાજ્યની ઈન્ટિગ્રેટેડ બી.એડ કોર્સ આધારિત રહેલી ટીચર્સ યુનિવર્સિટીએ તાજેતરમાં આ સુધારા માટે સરકારને રજૂઆત કરી હતી. TAT પરીક્ષા માટેના હાલ ભરાઈ રહેલા ફોર્મમાં ઈન્ટિગ્રેટેડ B.Ed. કોલેજો છુટી પડ્યા બાદ માત્ર ઈન્ટિગ્રેટેડ બી.એડ કોર્સ આધારિત રહેલી ટીચર્સ યુનિવર્સિટીઓએ તાજેતરમાં આ સુધારા માટે સરકારને રજૂઆત કરી હતી. કારણ કે TAT પરીક્ષા માટે હાલ ભરાઈ રહેલા ફોર્મમાં ઈન્ટિગ્રેટેડ ફોર્મમાં ઈન્ટિગ્રેડેટ B.Ed. થયેલા ઉમેદવારો ફોર્મ ભરી શક્તા ન હતા. સરકારના આ સુધારાથી ઈન્ટિગ્રેટેડ B.Ed. ઉમેદવારો અને ટીચર્સ યુનિવર્સિટી બંનેને મોટો ફાયદો થશે.

શિક્ષક બનવા માટે હવે ધોરણ પછીના સીધા ઈન્ટીગ્રેટેડ બી.એડ કોર્સ પણ માન્ય ગણાશે

અગાઉ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમ 1974 મુજબ ધોરણ 11 અને 12માં શિક્ષકની ભરતી માટેની લઘુતમ લાયકાત M.A., M.com, M.Sc. સાથે B.Ed. પાસની જોગવાઈ કરાઈ હતી. જ્યારે ધોરણ 11 અને 12માં શિક્ષકની ભરતી માટેની લઘુતમ લાયકાત M.A. M.com, M.Sc. સાથે બી.એડ પાસ હતી. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વિનિમયોની આ જોગવાઈમાં મહત્વનો સુધારો કરતો ઠરાવ કર્યો છે. જે ધોરણ 9થી12માં શિક્ષક બનવા માટે હવે ધોરણ 12 પછીના સીધા ઈન્ટીગ્રેટેડ બી.એડ. કોર્સ માન્ય ગણાશે.

આ પણ વાંચો: Gujarati Video : TATની પરીક્ષા પાસ કરેલા ઉમેદવારો માટે સારા સમાચાર, નવી શાળામાં પરીક્ષા પાસ કરેલા શિક્ષકોને લેવા આદેશ

ધોરણ 9 અને 10માં શિક્ષક માટે BA, B.Com. B.Sc. તેમજ રેગ્યુલર B.Ed. ઉપરાંત ધોરણ 12 પછીના સીધા ઈન્ટીગ્રેટેડ B.Ed. પાસ ઉમેદવારો પણ હવે TAT પરીક્ષા આપવા માન્ય ગણાશે. જ્યારે ધોરણ 11-12ના શિક્ષક માટે MA, M.Com. M.Sc. સહિત રેગ્યુલર B.Ed. પાસ ઉમેદવારો ઉપરાંત M.A. M.Sc. M.com સાથેનો B.com. B.A, B.Sc. સાથે રેગ્યુલર ઈન્ટીગ્રેટેડ બી.એડ. કોર્સ કર્યો હશે તેવા ઉમેદવારો TAT પરીક્ષા આપવા માન્ય ગણાશે.

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">