
અમદાવાદમાં વસ્ત્રાલ ગામની ફટાકડા ફેક્ટરીમાં શનિવારે બપોરના સુમારે ભયાનક બ્લાસ્ટ થયો હતો. જેમા 7 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે ત્રણ લોકોના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે. મૃતકોમાં 3 બાળકો, 4 મહિલા અને 3 પુરુષોના મોત થયા છે. કૂલ 10 લોકોના મૃત્યુ નિપજ્યા છે. ફેક્ટરીમાં કૂલ 12 લોકો કામ કરતા હોવાનો પૂછપરછમાં ખૂલાસો થયો છે. જો કે મહેમુદપુરા ખાતે ગેરકાયદે ધમધમતી આ ફેક્ટરીમાં કૂલ 12 લોકો કામ કરતા હોવાનો ખૂલાસો થયો છે.
પોલીસે ફેક્ટરી માલિક મેહુલ ડોડિયા અને સાદિક સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યુ હતુ. પોલીસે પુરાવા એકત્ર કરવા આરોપીને સાથે રાખી પંચનામુ કર્ય. આરોપીઓને કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓ વિસ્ફોટક પદાર્થ ક્યાંથી લાવ્યા તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. જમીનના માલિકની ભૂમિકા અંગે પણ સઘન તપાસ હાથ ધરવામાં આવશે.
ફેક્ટરીમાં થયેલા જીવલેણ બ્લાસ્ટ અંગે આરોપીઓની પૂછપરછમાં સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે. બાળકોએ રમત રમતમાં બે કેમિકલ ભેગા કરતા બ્લાસ્ટ થયો હોવાની વિગતો આધારભૂત સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ છે. સાદિક અને રમીલા જમીનનું ભાડુ ભરતા હોવાની વિગતો પણ સૂત્રો દ્વારા મળી રહી છે. ફેક્ટરીમાં કૂલ 12 શ્રમીકો કામ કરતા હતા અને બ્લાસ્ટ સમયે રમીલા અને મેહુલ ફેક્ટરીની બહાર હાજર હોવાનું પણ સામે આવ્યુ છે.
આપને જણાવી દઈએ કે ફટાકડા ઉત્પાદન અને પ્રોસેસિંગ માટે ઉપયોગમાં લેવાતા ખુલ્લા પ્લોટમાં શેડ બનાવી ફેક્ટરી ઉભી કરી દેવાઈ હતી. આ જ ફેક્ટરીમાં શનિવારે બપોરે ભયાનક બ્લાસ્ટ થયો અને તેમા 3 નાના ભૂલકા સહિત 7 લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા. અન્ય 3 લોકો સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે. ફેક્ટરીનો માલિક મેહુલ ડોડિયા વધુ કમાણી કરવાની લ્હાયમાં નિયમોનો ઉલાળિયો કરી શ્રમિકોના જીવ જોખમમાં મુક્યા.
જે મહત્વના મુદ્દા પર પોલીસ રિમાન્ડ દરમ્યાન તપાસ કરવાની છે તેમા
આરોપીઓએ જે રીતે ગુનાહિત કૃત્ય કરી ગરીબ શ્રમિકોના જીવ લીધા તે મુદ્દે પોલીસ આરોપીઓની પૂછપરછ કરી તેમના મળતિયાઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.
Input Credit- Harin Matravadia- Ahmedabad
Published On - 6:34 pm, Mon, 20 July 26