પશ્ચિમ રેલવેના(Western Railway)અમદાવાદ મંડળના ડીઆરએમ(DRM)તરુણ જૈને 21 મેના રોજ અમદાવાદ (Ahmedabad) રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે અમદાવાદ સ્ટેશન પર સર્ક્યુલેટિંગ એરિયા, પ્લેટફોર્મ 1 થી 9 મુસાફરોની સુવિધાઓ જેવી કે વોટર પોઈન્ટ, જનરલ વેઈટીંગ રૂમ, એસી વેઈટીંગ રૂમ, જન આહાર, કેટરીંગ સ્ટોલ, એસ્કેલેટર, સ્ટેશન સ્ટેશનની સ્વછતા, ડિસ્પ્લે બોર્ડ, ફુટ ઓવર બ્રિજ, સરસપુર સાઈડમાં ચાલી રહેલા બાંધકામ અને સ્ટેશન પર ચાલી રહેલા અન્ય વિકાસ કામોનું નિરીક્ષણ કર્યું હતું.
તેમણે અમદાવાદ સ્ટેશન પર મુસાફરોની સુવિધાઓના વિવિધ મુખ્ય સુવિધાઓનું નિરીક્ષણ કર્યું. જેમાં કેટરિંગ સ્ટોલ, એસ્કેલેટર, સ્ટેશનની સ્વચ્છતા અને સ્ટેશન પર ચાલી રહેલા વિકાસ કામોની સમીક્ષા કરવામાં આવી હતી. સ્ટેશન પરિસરનું સ્વચ્છતાના દૃષ્ટિકોણથી સંપૂર્ણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું ઓવર બ્રિજ અને એસ્કેલેટરનું કામ વહેલી તકે પૂર્ણ કરવા પર ભાર મુકતા તેમણે મુસાફરોને વધુ સારી સુવિધા મળી રહે તે માટે પ્લેટફોર્મ પર યોગ્ય આયોજન અને મુસાફરોની સુવિધાની પૂરતી વ્યવસ્થા કરવા નિર્દેશ આપ્યો હતો.
તેમણે સ્ટેશન પર ચાલી રહેલા કામોની સમીક્ષા કરી હતી અને બાંધકામના કામોને ઝડપી બનાવવા પર ભાર મૂક્યો. આ દરમિયાન તેમણે મુસાફરો સાથે વાતચીત કરી અને તેમની સમસ્યાઓ જાણી.આ સાથે કાર્યકારી નિરીક્ષકો સાથે મીટીંગ કરી તેમની કામગીરી કરવામાં પડતી તકલીફો અંગે જાણકારી મેળવી હતી અને તે જલ્દી પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપી હતી. આ પ્રસંગે બોર્ડના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Published On - 9:24 pm, Sat, 21 May 22