Ahmedabad: ધોલેરા એક્સપ્રેસ હાઈવેના કામમાં ભ્રષ્ટાચાર થવાનો આરોપ, યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી

|

May 01, 2022 | 8:09 AM

કોન્ટ્રાકટર ગામની બાજુની જમીનમાંથી જ ગેરકાયદેસર રીતે ખનન કરી ક્ષારવાળી માટીથી પુરાણ કરીને ભ્રષ્ટાચાર આચરે છે. ગામના આગેવાનોએ નબળા કામને અટકાવવા તથા ગેરકાયદેસર માટી ખનન સામે કડક કાર્યવાહી માગ કરી છે.

Ahmedabad: ધોલેરા એક્સપ્રેસ હાઈવેના કામમાં ભ્રષ્ટાચાર થવાનો આરોપ, યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી
AHMEDABAD DHOLERA HIGHWAY

Follow us on

અમદાવાદ (Ahmedabad) વિકાસની વધુ એક ગતિ પકડવા જઈ રહ્યુ છે. અમદાવાદના ધોલેરામાં (Dholera) બની રહેલા એક્સપ્રેસ હાઈ-વેનું કામ લોકોની સુવિધા વધે એ માટે કરવામાં આવી રહ્યું છે. જો કે આ કામગીરી શરુ થવાની સાથે જ તેમાં ભારે ભ્રષ્ટાચાર (Corruption) કરાયો હોવાના આક્ષેપો લાગ્યા છે. ત્યારે હવે ખરેખર આ રોડની કામગીરી અયોગ્ય છે અને પ્રજાના પૈસા ખરેખર ડુબી રહ્યા છે કે કેમ તેના પર સવાલો ઉભા થયા છે.

અમદાવાદના ધોલેરામાં એક્સપ્રેસ-વે બની રહ્યો છે. 3500 કરોડ જેટલો વિશાળ પ્રોજેક્ટ હોવા છતાં કરૂણતા એ છે કે આ કામમાં કરવા ખાતર કરાઈ હોય તેવી નીતિ અપનાવાઈ રહી છે. ધોલેરાના આંબળીથી બાવલિયારી સુધી 38 કિ.મીના સિક્સ લેન રોડના નિર્માણમાં હલકી ગુણવત્તાવાળી માટી પાથરીને રોડની ગુણવત્તા સાથે ચેડાં થઈ રહ્યા હોવાનો આક્ષેપ છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

ધોલેરા ભાલ વિકાસ મંચ અને ભાજપ તાલુકા પ્રમુખ સહિતના આગેવાનોએ આરોપ લગાવ્યો છે કે રોડ બનાવવામાં નબળી કામગીરીના કરાઈ રહી છે. તેમનું કહેવું છે કે આ રોડ માટે સર વિસ્તારની બહારથી ઉચ્ચ ગુણવત્તાવાળી માટી લાવવાની હોય છે. છતાં કોન્ટ્રાકટર ગામની બાજુની જમીનમાંથી જ ગેરકાયદેસર રીતે ખનન કરી ક્ષારવાળી માટીથી પુરાણ કરીને ભ્રષ્ટાચાર આચરે છે. ગામના આગેવાનોએ નબળા કામને અટકાવવા તથા ગેરકાયદેસર માટી ખનન સામે કડક કાર્યવાહી માગ કરી છે.

આ તરફ પ્રમુખ સહિતના આગેવાનોએ ગેરકાયદે માટી ખનન કરાતી જગ્યા પર દરોડા પાડી તપાસ કરી હતી. જયાં આરટીઓ નિયમ ભંગ કરતી ગાડીઓની તપાસ અને રોયલ્ટીનું ચેકીંગ કરવાની માગ સાથે તાલુકા પંચાયતના પ્રમુખે ધોલેરા પોલીસ મથકમાં અરજી આપી હતી. એટલું જ નહીં આ મુદ્દે સંબંધિત વિભાગને પણ જાણ કરાઈ છે.

આ આગેવાનોની માગ છે કે જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો તેઓ ઉગ્ર આંદોલન કરતાં પણ અચકાશે નહીં. હવે જોવાનું એ રહેશે કે ભ્રષ્ટાચારના આ આરોપ બાદ કામમાં કેટલો સુધારો થાય છે? અને જો ભ્રષ્ટાચાર થયો હોય તો તેની પર શું પગલાં લેવાય છે? કેમકે આખરે તો તેમાં વપરાતા પૈસા પ્રજાની પરસેવાની કમાણીના જ છે અને તેનો ઉપયોગ પણ લોકોએ જ કરવાનો છે.

આ પણ વાંચો :  Valsad : ઉમરગામ નજીક રેલવે ટ્રેકના પાટા પર પથ્થર મૂકી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ, મોટી દુર્ઘટના ટળી 

આ પણ વાંચો : જામનગર : રાજ્યપાલના હસ્તે પ્રાકૃતિક કૃષિ પ્રચાર પ્રસાર અભિયાનનો શુભારંભ

Next Article